इतिहास

અલગારી સંતશ્રી શાંતીરામજી બાળકદાસજી ગોંડલિયા. સારિંગપુર.તાલુકો કુંકાવાવ

જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે………. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે….. આપણા વડીલો…આપણા પૂર્વજો ની સ્મૃતિ..એમનો વારસો તાજો કરવાનો સમય….!! આ જ આપણી સંસ્કૃતિ…આપણા સંસ્કાર છે…જેને કારણે આપણે સનાતન છીએ…..એ જ સનાતન ધર્મ ના કારણ એવા અમારા શાંતીરામ બાપુ ના તાજગી ભર્યા દર્શન અને એમના જીવન વિશે લખવાનો અમૂલ્ય લ્હાવો આજ સાંપડ્યો એજ અહોભાગ્ય કહેવાય સમર્થ સાધુ શાંતિરામ બાપુ નું અલગારી જીવન ના પુણ્ય પ્રતાપો થકી જે જીવ ઈચ્છા મૃત્યુ ને પામ્યા પોતાના દીકરા ની ગેરહાજરી હોવાથી જીવ ને સવાર સુધી રોકી રાખ્યો ખુદ પ્રભુ એ પુજ્ય બાપુ ના મૃત્યુ ને થંભાવી રાખવો પડ્યો એ જીવ ના પરમાર્થ કેવા હસે? પુજ્ય બાપુ ને ઘરગ્રહસ્થી માટે એક નાનકડી હાટડી હતી ગામ માંથી અનાજપાણી  આવતુ એમના થકી અભ્યાગતો ને ભોજન કરાવતા.પુજ્ય બાપુ એ ટેક લીધેલ કે જ્યાં સુધી રામદેવજી મહારાજ ના બેસણા નહિ થાય ત્યાં સુધી ચા નહિ પીવા નું પ્રણ લીધેલ 40 વરસ ની અથાગ ભક્તિ ના વાણા વાયા અને બાપુ ની પરમ ભક્તિ ની તપસ્યા બાદ રામદેવજી મહારાજ નું ભવ્ય મંદિર નું નિર્માણ થયું રામદેવજી મહારાજ ના સારીંગપુર મુકામે બેસણા થયા અને  સારીંગપુર સમસ્ત ભક્તજનોએ બાપુ ની ચા ની  ટેક તોડાવી.પુજ્ય બાપુ ના ગૃહસ્થ જીવન માં પાંચ દીકરી અને બે દીકરા છે.બધા સંતાનો ને વરાવી પરણાવી ચૂક્યા હતા.બાપુ નું સમગ્ર જીવન નકળંક નેજાધારી ને સમર્પિત હતું નિત્ય સેવાપૂજા તેમજ ભોગવિલાસ થી પર હતા.પુજ્ય બાપુ ની 93 વર્ષ ની વય મા શનિવાર ના દિવસે રામદેવજી મહારાજ ની આજ્ઞા થઇ કે મારા ભક્ત ને હવે કોઈ કોડ નથી બાકી રહ્યા બાપુ જો સંસાર મા રચ્યા પચ્યા રહેશે તો એમની ભક્તિ મા વિક્ષેપ પડશે એવામાં એક દિવસ બાપુએ સંતાનો ને કહ્યું કે હવે મને રામદેવજી મહારાજ ના બોલાવા આવ્યા છે મારે હવે નકળંક નેજાધારી ના ચરણો મા મોક્ષ પામવાનો સમય આવી ગયો છે મારી સમાધિ માટે આસાન વળાવો ત્યારે હાજર રહેલ દીકરી ને પ્રથમ તો અજુગતું લાગ્યું કે બાપુ ની તબિયત બરોબર નથી એટલે સમાધિ નું કહેતા હસે પણ સંત ની મહીમા કોઈ ઓળખી ના સકે.પુજ્ય બાપુએ આગળ કહ્યું કે સમાધિ ની સામગ્રી મંગાવી લેજો મારે હવે વિદાય નો સમય થઇ ગયો છે.પુજ્ય બાપુ એ વિદાય નો સમય પણ નક્કી કરી લીધો પણ.પોતાનો નાનો દીકરો આંબરડી ધૂપ લેવા ગયેલ હોવાથી રામદેવજી મહારાજ ને કોલ આપી દિધો કે હે નેજાધારી આજ તું રોકાઈ જજે કાલે હું ઉગતા પહોરે તારા ચરણો માં આવી જઈશ.સમગ્ર પરિવાર ને કહેણા મોકલી આપો આવતી કાલે મારે સમાધિસ્થ થવાનો સમય છે. આપણા મંડળ નાં મહંત ને કહેરાવી દો કોટવાળ ને કહી દો કે આપણી સાધુ પરંપરા અનુસાર સમાધિ સ્થાપન ની વસ્તુઓ ભેગી કરી પૂર્વ તૈયારી કરી લો.આગલે દિવસે પુજ્ય બાપુ એ એમના સંતાનો ને એમની વિદાઈ માટે પોતાની પાસે બોલાવી ગુરુમંત્રો નું ઉચ્ચારણ કરી નકળંક નેજાધારી ને કોલ આપ્યો કે મહારાજ હવે હું આપની પરમ ભક્તિ મા લીન થવા આ સંસાર નો ત્યાગ કરી આપનાં ચરણોમાં મોક્ષ પ્રાપ્તિ માટે આવું છું.અને સમગ્ર પરિવાર ત્યાં હાજર રહી હે નેજાધારી હે નેજાધારી ના ઉચ્ચારણ ના મંત્રો સાથે સવંત 2080 પોષવદ શનિવાર ના પ્રાતઃકાળે પુજ્ય બાપુ ને અંતિમ વિદાય હસતા મુખે  આપી ..સંતો ની મહીમા અલગારી હોય છે  કથા કહું એક યુગપુરુષની, સંત પરમ હિતકારીની સાંભળજો ગાથા નરનારી, સહુ જનના સુખકારીની, પર ઉપકારી સેવાધારી, ડોલાવે દુનિયા સારી, વાત અલૌકિક દિવ્ય પુરુષની, સંત પરમ હિતકારીની, .... સંત પરમ હિતકારીની... ૧ જન્મજાત છે બ્રહ્મ અનાદિ, પણ તેને વિસરાવીને, ગુરુભક્તિમાં એવા રાચે, દેહનું ભાણ ભુલાવીને, એક વાર જાણ્યું કે જ્યારે,હવે ઈચ્છાધારી મૃત્યુ ને જાણવાની.... સંત પરમ હિતકારીની... ૨ સારિંગપુર ના દિવ્ય સંત ની મહિમા જાણી થઇ પુણ્ય ની કમાણી.. શૈલેશ.બી.કાપડી.(સંપાદક:સાધુવંદના ઈ બૂક)..

આપણા સામાજિક મંડળો

મહંત શ્રી નટવરદાસ પ્રભુદાસ ગોંડલિયા “કાંત્રોડિ-પીપરડી મંડળ”

આપણા સામાજિક મંડળો

મહંત શ્રી ભરત દાસ બાપૂ ગોંડલીયા “હનુમંત મંડળ ભાલ” વલભીપુર

આપણા સામાજિક મંડળો

“ઠાકોરજી મંડળ” મહંતશ્રી ગૌતમબાપુ ગોંડલીયા પાલીતાણા  

આપણા સામાજિક મંડળો

મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વરશ્રી પ્રભુદાસજીબાપુ ગોંડલીયા “માનસ ગંગા વાવડી મંડળ” મુ.વાવડી(ફુલસર), તા.તળાજા  

આપણા સામાજિક મંડળો

મહંતશ્રી અતુલદાસબાપુ દુધરેજીયા “રોયલ મંડળ” (વૈષ્ણવ/વૈરાગી સાધુ), મુ.રોયલ, તા.તળાજા મુ.સણોસરા, તા.સિહોર, જીલ્લો.ભાવનગર  

આપણા સામાજિક મંડળો

મહંતશ્રી હરજીવનદાસ દામોદરદાસ દુધરેજીયા “શ્રી ઠાકોરજી મંડળ” મુ.સણોસરા, તા.સિહોર, જીલ્લો.ભાવનગર  

આપણા સામાજિક મંડળો

તાલડા મંડળ.તા:ખાંભા જિલ્લો:અમરેલી .મહંત શ્રી  હિમંતરામ બાપુ દુધરેજીયા 

આપણા સામાજિક મંડળો

શ્રી વૈષ્ણવ સાધુ સમાજ “અખેગઢ” મંડળ મહંત શ્રી અંશુમાનજી રાજેન્દ્રદાસજી હરિયાણી

આપણા સામાજિક મંડળો

મહંતશ્રી શાંતિરામજી બાલકદાસજી.ગોંડલિયા અનિડા મંડળ  

આપણા સામાજિક મંડળો

શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી લખમણદાસબાપુ શેલખંભાળિયા નથુરામ બાપુ ની જગ્યા  

આપણા સામાજિક મંડળો

મહંત શ્રી ઈશ્વરદાસજીબાપુ  ગોંડલીયા “સીતારામ મંડળ કાલસારી”  

આપણા સામાજિક મંડળો

મહંત શ્રી દિલીપદાસજી ગંગારામજી હરીયાણી “કાલાવડ મંડળ”

લાખો ફુલાણી

લાખો ફુલાણી   એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતનાં કપાળ ઝગારા કરતાં હતાં. એકની આંખમાંથી તેજનાં ભાલાં છુટતાં હતાં. બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બન્ને બેઠા સ્નાન કરવા લાગ્યા.   નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતેા. 'ત્રો ! ત્રો ! બાપ્પો બાપ્પો !' એવા નોખનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો.   ઘોડીએ બે પહાડ જેવા બાવાએાનાં ભગવાં લૂગડાં જોયાં; ચમકવા લાગી, કેમેય માની નહિ. ઘોડેસવારે પીઠ થાબડી, ગરદન થાબડી; છતાંય ઘોડી ટાઢી ન પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક ! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દીધા.   “અરરર !” અન્ધ બાવાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. “ગજબ કર્યો આ ઘોડેસવારે ! આ ઘેાડી જો મારી હોત, તો હું ઘોડેસવારને જાનથી મારત.”   “કેમ, મોટા ભાઈ?” નાનાએ પૂછ્યું. “આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચકલ્યાણી વછેરો છે ! આ નાલાયકે ચાબૂક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી; બહુ કરી !”   બાવાએાની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો. ઘોડીને દોરીને એ નગરમાં ગયો. જઈને એણે રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી.   વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણના સિંહાસન ઉપર ઝાંખો બળતો હતો. એનું નામ સામંતસિંહજી ચાવડો. સરોવરની પાળેથી એણે બાવાએાને દરબારમાં બોલાવ્યા. પૂછવામાં આવ્યું કે શી હકીકત બની.   “રાજા, તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માંહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી. આખો ભવ એ વછેરો બાડો રહેશે.”   “શી રીતે જાણ્યું ?”   “વિદ્યાથી.”   “ખોટું પડે તો ?”   “મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું જ હું હમેશાં હોડમાં મૂકું છું. વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું !”   “માથું વાઢી લઈશ, હો ?”   “રજપૂત અને સાધુ માથાં હાથમાં લઈને જ ફરે છે, અને સ્વહસ્તે પણ વધેરી આપે છે.”   “આંહી તમારે રહેવું પડશે. આઠ દિવસમાં ઘેાડી ઠાણ દેવાની છે.”   “ કબૂલ છે, પણ સાચું પડે તો ?” “તો અરધું રાજપાટ અને મારી બહેન આપું.”   આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારે આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં ! સાચાં પડ્યાં !   રાજાએ પૂછ્યું : “જાદુગર છો ? ત્રિકાળજ્ઞાની છો ?”   “ના બાપ !” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને. ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર[૧]ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બેાલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”   રાણીવાસમાંથી કચેરીમાં કહેણ આવ્યાં કે સોનાબાએ એવા આંધળા ને બુઢ્ઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા: ટૂંકટોડા રાજના ધણી બે સોંલકી ભાઈઓ: નામે બીજ અને રાજ : ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત્ત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવવા જતા હતા. સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું. પણ મોટા ભાઈ બીજકુમાર બોલ્યા : “હું તો અંધ છું. મારે માથે હવે પળિયાં આવ્યાં. હું નથી પરણ્યેા, પરણવુંયે નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો.”   રાજની સાથે સોનાબાનો હથેવાળો થયેા. સોનાબાને ઓધાન રહ્યું. નવ મહિને દીકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયે તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોષી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી, એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરીને જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પુછાવ્યું : “કહો જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે?”   “કહે છે કે દીકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે !”   સોનેરી પાંભરીમાં બાળકને વીંટાળવામાં આવ્યું. આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી : “એને વગડામાં નાખી આવો. ”   બાનડી નાખવા આઘે આઘે ગઈ: એક બખોલ દેખી, બાળકને ત્યાં નાખીને પાછી વળી.   તરતની જ વિયાયેલી એક વાઘણ પોતાનાં બે બચ્ચાંને એ બખોલમાં મૂકીને ભરખ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાંને ધવરાવવા બેઠી. પાસે પડેલા બાળકને માથે એાર હતી તેથી તેને પણ પોતાનું બચચું માની ગોદમાં લીધું. એાર ચાટી લીધી. હેત ઊપજી ગયું. ત્રણે જણાં વાઘણના આંચળ ચસ ! ચસ ! ચસ ! ચૂસવા મંડ્યા. બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ.   મોંસૂઝણું થયું. બે ભરવાડો નીકળ્યા. એમણે આ કૌતુક જોયું, બે વાઘનાં બચ્ચાં ને એક માનવીનું બચ્ચું ! એકબીજાને ચાટે છે ! માનવીનું બાળક હાથ-પગ ઉલાળતું ઘુઘવાટા દે છે. ત્રણેને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે ? પૂછો બીજ સોંલકીને !   માનવી બાળકને છાતીએ ચાંપતાં જ તરત આંધળો બીજ બોલ્યો : “ અહાહાહા ! મારું કાળજું ઠરીને હિમ થાય છે, બાપ ! આ બીજો કોઈ ન હોય, આ તો મારું જ પેટ !”   “શું બોલો છો, ઠાકોર ?”   “પુછાવો રાણીવાસમાં : સોનાબાને શું અવતર્યું ?”   રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું.   “એને ક્યાં નાખ્યું ?” "દાટી દીધું.”   "દાટવાની જગ્યા ખોદાવો.”   બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણીમાતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલ્યો છે. ક્યાં મેલ્યા તેનો પત્તો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી, નક્કી થયું કે એ તો રાજનો જ દીકરો. જોષીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોંલકીની પરીક્ષા ઉપર માણસો ગાંડાં બન્યાં.   “અરે, મારા બાપ! શું હું મારા પેટને ન ઓળખું ? એના શરીરના રૂંવાડે રૂંવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે. એ બધી તો આંધળાંએાને ઉકેલવાની ભાષા છે.”   રાજમાં નેાબતો ગડગડી, દેવળેામાં ઝાલર રણઝણી, ઘરે ઘરે લાપસીનાં આંધણ મુકાણાં.   વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.   રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.   એક હજાર વર્ષ પૂર્વે કચ્છના કેરાકોટ નગરના રાજ-ઝરૂખે ચાર બાઈઓ, ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી, બેઠી હતી : એક સોન રાણી, બીજી જહી બારોટાણી, ત્રીજી નેત્રમ બાનડી ને ચેાથી ડાહી ડુમડી. કચ્છ દેશની મરદાનગી એમનાં કદાવર અંગેામાં ચમકતી હતી. ચારેયના ધણી રણે ચડ્યા હતા.   આથમતા સૂરજ મહારાજે અસ્તાચળ ઉપરથી રજપૂતાણીને ભાળી. પોતાના હજારો ફૂલોની ડાળીમાંથી એ ઝરૂખામાં એણે એક ફેંક્યું. રાણીએ ફૂલ સૂંઘ્યું. પેટમાં કંઈક ટાઢો શેરડો પડ્યો. પછી બારોટાણીએ બાનડીએ ને ડુમડીએ વારાફરતી સૂઘ્યું. “એાય રે રાણીમા ! પેટમાં કોણ જાણે શુંયે થઈ ગયું !” – એમ ત્રણે જણી બોલી. કોઈક જતિ-જોગટાનું મંત્રેલું માનીને બાનડીએ ફૂલ બારીએથી ફેંકી દીધું. ફૂલ ઘોડારમાં પડ્યું. સો સો ઘમસાણોમાં ઝૂઝેલી પરનાળ નામની ઘોડી ત્યાં બાંધી હતી. એણે એ સૂંઘ્યું, પાંચેયને ઓધાન રહ્યાં.   જહીએ માવલ જનમિયો, લાખણસી સોનલ, નેત્રમ માગેણો હુવો, ડાઈ જાઈ કમલ.   જહી બારોટાણીને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મ્યો, સોનલ રાણીને લાખો ફુલાણી અવતર્યો, નેત્રમ દાસીને માગેણો અને ડાહી ડુમડીને કમલ.   રાજમાતાની કૂખે કુંવર લાખો જન્મ્યેા. એના જન્મને દિવસે જગતમાં શું બન્યું ?   જે દી લાખો જનમિયો, ધરપત કાછ ધરા, તે દી પીરાણા પાટણજા, કોઠા લોટ કરા.   કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો.   સૂરજનો કુમાર આવા વીર-શુકન લઈને ધરતી પર ઊતર્યો. એના જન્મની ખુશાલીનો ડંકો ચોરાની ઝાલર ઉપર નહિ પણ ગુજરાતના પાટનગરના ગઢની દીવાલ ઉપર વગડ્યા. એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે.   બાપની સાથે કુંવર લાખાને અણબનાવ થયો, મોઢું; જોવાનુંયે સગપણ ન રહ્યું, સૂરજનો પુત્ર જુવાનીના રંગ રમવા સોરઠને કાંઠે ઊતર્યો; કંઈ ઘમસાણ બોલાવ્યાં, આઠ આઠ કોટની રચનાવાળું એક નગર બાંધ્યું. લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કોઈ ક્ષત્રી કેમ જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી જાહોજ્લાલી યાદ કરતો હોય !   કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં ઉતારો પડ્યો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં પહોંચાડી દીધી હતી : જેને જેને ખેાટીલાં ઘેાડાં હતાં તે તમામ એ અશ્વ-પરીક્ષકની તપાસ કરાવતાં.   લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના ઘોડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊંચો રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો નહિ.   આંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને સજ્જ કરી બહાર કાઢો. હોકારા-પડકારા કરીને દિશાઓ ગજાવી મૂકો.”   'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું. ઘોડાની હણહણાટી ને આદમીઓના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથો પગ નીચે મૂક્યો, હણહણાટી દીધી, ખીલો કઢાવી નાખવા ઝોંટ મારી.   બીજે ચોથો પગ ઝાલી લીધો. તેલ-દવાનાં મર્દન કર્યાં. ઘોડાની ખેાટ ટળી. માણસો મોંમાં આંગળાં ઘાલી ગયાં.   “રાવ લાખા !” અંધ બીજ બોલ્યા : “આમાં બીજો ઇલમ નહોતો. ઘોડાને સ્વપ્ન-ઘા થયેા હતેા: લડાઈનું એને સ્વપ્નું આવેલું કે લડતાં લડતાં જાણે પોતાનો પગ ઘવાણો છે! એટલી ભ્રાંતિ થવાથી એ નીચે પગ નહોતો માંડતો.”   લાખો કહે: “ દેવતાઈ પુરુષ ! મારી બહેન રાંયાજીનું પાણિગ્રહણ કરો.”   બીજ બેાલ્યા: “બાપા લાખા રાવ ! મારી વિદ્યાને કોઈનું શેાક્યપણું ન પાલવે. મરજી વધતી હોય તો રાજને જમાઈ કરો.”   ઊઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો. એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નહોતી, ભુજામાં હતી. એ જ્યારે માથું હલાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો. લાખાની બહેન બીજા કોને પરણી શકે ? વેલડી આંબાને વીંટાય, તેમ રાંયાજી રાજને પરણી.   આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે; રાજ આટકોટમાં જ રહ્યો છે. રાંયાજીને એાધાન રહ્યું છે. રાતદિવસ ગર્ભ ખીલતો જાય છે – સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ !   કાળ આવવો છે ને ! એક દિવસ સાળો-બનેવી સોગઠાંની રમત માંડે છે. સામસામાં પઘડાં પાકે છે, કાંકરીઓ ઢિબાય છે, અને ગોઠણભર થઈથઈ ને બેય જણા પાસા ફેંકે છે. લાખાની એક જ સોગઠી રહી. એ સોગઠીને પાકીને ઘરમાં જવાની વાર નહોતી, ત્યાં રાજે દાણિયા નાખ્યા. લાખાની સેાગડી ઊડી. “મારા સાળાની ! ક્યારની સંતાપતી'તી' કહીને રાજે સોગઠી પર સોગઠી મારી; એક ઘાએ ભાંગીને ભૂકા કર્યો. આંગળીમાંથી લેાહીના ત્રસકા ટપક્યા.   “સોલંકી !" લાખાની આંખ બદલી : “મોં સાંભળજો, હો ! ”   “નહિ તો?”   “બીજું શું ? માથું ધૂળ ચાટે ! શું કરું ? મારી બહેનનો ચૂડો આડો આવે છે.”   “લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી, પણ આશ્રિત છું. બસ, આજથી મારું અંજળ ખૂટ્યું.” એટલું કહીને રાજ ઊઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણીને કહ્યું : “તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાઉં છું અણહિલપુર, મૂળરાજ પાસે.”   રિસાઈને રાજ ચાલ્યો. સોરઠનાં ઝાડવાં લળીલળીને જાણે એને મનાવતાં હતાં. નદીઓ જાણે આડી પડીપડીને. આંસુથી એના પગ ભીંજાવતી ભીંજાવતી કહેતી હતી : “રાજ ! રોકાઓ, મનાઓ !”   લાખો પસ્તાયો. બહેનનું મોં એનાથી નહોતું જોવાતું. રાજને ઘણાં કહેણ-કાલાવાલા મોકલ્યાં, પણ રાજ આવે નહિ. ચાર આંખો ભેળી થાય તો તો ચરણે પડીનેય મનાવી. લઉં. પણ એવો મોકો શી રીતે મળે ?   લાખો પાટણ પર ચડ્યો. સરસ્વતીના હરિયાળા કાંઠા ઉપરથી ગામની ગાયો વાળી. રાજને જાણ થઈ કે લાખો ફુલાણી પાટણ લૂંટી જાય છે. રાજનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. મૂછોની અણીઓ આંખ સુધી ખૂંચી ગઇ; જૂનો કોપ જાગ્યો.   ખડગ લઈને એ એકલો ધાયો. ગાયો લઈને લાખો તો સીમમાં વાટ જોતો હતો. એને તો રાજની સાથે જ ચાર આંખો મેળવવી હતી. બનેવીને એણે આવવા દીધો, ખૂબ પાસે આવવા દીધો; પછી પાઘડી હાથમાં લઈને સામો ચાલ્યો : “ એ રાજ; આટકોટ હાલ્ય ! તને તેડવા આવ્યો છું. રાંયા રોવે છે !”   “લાખા ! મરદ થા. હવે ગોટા વાળ્ય મા.” એમ કહીને એણે ખડગ ચલાવ્યું. લાખાનું માથું જોતજોતામાં ઊડી જાત, પણ એણે વખતસર ભાલો ઝીંક્યો. રાજ વીંધાઈ ગયો. પહાડ જેવી કાયા ભેાંય પર પછડાણી. લાખાએ પોતાના માથાનો ફેંટો કાઢીને એ શબ ઉપર એાઢાડી દીધો. એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટ્યું.   વિધવા બહેન રાંયાના ખોળામાં ભાણેજ રમવા મંડ્યો છે; એનું નામ પાડ્યું છે રાખાઈશ. બાપનું મોં તો રાખાઈશે જોયું નથી; મામા જ એના લાડકોડ પૂરા કરે છે. મા અને મામા: એ બે સિવાય કોઈક કુટુંબી જાણે ખોવાઈ ગયું હોય, એમ એની આંખો ચારેકોર જોયા કરતી.   કોઈ બાનડી કહેતી : “બા, બરોબર જાણે ઈ જ મોઢું હોય !”   આવાં વેણ સાંભળીને રાંયા રોતી. રાખાઈશના માથા પર ધગધગતાં આંસુ પડતાં. આભો બનીને રાખાઈશ માના મોં સામે જોઈ રહેતો.   લાખાની આણ હતી કે ભાણેજને કોઈ એ જૂની વાત કહેવાની નથી - કહેનારને કાંધ મારીશ !   રાખાઈશ વધવા લાગ્યો, મલ્લકુસ્તી, પટ્ટાબાજી, ભાલાની તાલીમ : એમ એક પછી એક કળા ઉપર એનો હાથ જામતો ગયો. સત્તર વરસનો પહેલવાન થયો. સવા હાથની છાતી ખેંચાણી. ખભા ઢાલ જેટલા પહોળા થયા. એક આંખમાં ઝેર ને બીજી આંખમાં અમૃત નીતરવા માંડ્યું;   કોઈ કોઈ વાર લાખો નાના છોકરાની જેમ છાતીફાટ રુદન કરતો. ખૂબ રોતો. કારણ કોઈ પૂછી શકતું નહિ. ભાણેજ જઈને માતાને પૂછતો. માતા જવાબ દેતી: “બાપ. મામાને દીકરો નથી માટે રોવું આવે છે !”   એક દિવસ તલવાર ખેંચીને રાખાઈશ ઊભો રહ્યો; માતાને પૂછ્યું : “ બોલો માડી, મારો બાપ કોણ ? જગતમાં સહુને બાપ – એક મારે જ નહિ ? 'બાપુ' એવો શબ્દ આજ સુધી મારે કાને ન પડવા દીધો ? બોલો, નહિ તો તલવાર પેટે નાખીને મરું છું.”   “બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયા.”   “બેાલો, એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર કાં ઝરે ?”   “એને મામાએ માર્યા – તારા અન્નદાતાએ.”   “મારા કુળમાં કોઈ સગું ન મળે ?”   “અણહિલપુરનો રાજા મૂળરાજ તારો એારમાયો ભાઈ થાય છે ને તારા મોટા બાપુ બીજ પણ ત્યાં રહે છે.”   “ત્યારે આપણે આંહીં શીદ રહીએ છીએ ?”   “આપણે ક્યાં જઈએ? કોણ સંઘરે ?”   “મારા બાપુ પાસે જઈએ – ત્યાં સ્વર્ગમાં. ”   મા સમજી ગઈ. ડળકડળક પાણીડાં પાડતી એ દીકરાને માથે હાથ મેલીને બોલી : “જોજે હો, બાપ, રજપૂતાણીનો દીકરો! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ન થતો. તારે રૂંવે રૂંવે મામાનું અન્ન ભર્યું છે, રાખાઈશ ! વેર લેતાં આવડતું હોય તો જાજે.” “માડી ! તમારી કૂખ નહિ લજાવું, ધરપત રાખજે !”   રાત પડી. જગત આખું પહેલા પહોરની નીંદરમાં પડ્યું છે. શસ્ત્રો સજીને રાખાઈશ ઘોડારમાં આવ્યો; ખડગ ખેંચીને ખાસદારને કહ્યું : “ફૂલમાળ ઉપર સામાન માંડ !”   “અરરર બાપુ ! મામા ગરદન મારે. ફૂલમાળ ઉપર બીજા કોઈનો હાથ નથી અડતો.”   “મામા તો સવારે મારશે, પણ હું અત્યારે જ પ્રાણ લઈશ.”   ખાસદારને બીજો આરો નહોતો. ફૂલમાળ ઘોડી પર ચડીને કાળી રાતે રાખાઈશે પંથ કાપવા માંડ્યો. હાલાર વટાવી, પાંચાળના ભેંકાર ડુંગરા વટાવ્યા, ઝાલાવાડની ઝીણી ઝીણી રેતીના ડમ્મરમાંથી પાર નીકળ્યો, અને મધરાતનો પહોર ભાંગ્યો તે વખતે પાટણના ગઢને દરવાજે ટકોરા દીધા. દરવાજા ઉઘડાવ્યા. ગુર્જરપતિને માઢ-મેડી સામે જઈને જાણે રોજને અવાજે ભાઈ ભાઈને સાદ કરતો હોય તેમ સાદ પાડ્યો : “મૂળરાજ ! ભાઈ ! એ ભાઈ !”   મૂળરાજ ઊંઘે છે.   ફરી સાદ કર્યો : “એ બાપ ! આવડી બધી ઊંઘ ! બાપનું વેર લીધા વિના આટલું બધું ઘારણ વળી ગયું ! આ કયા સુખની ઊંઘ !”   અંધારી અધરાતે કિલ્લાની મૂંગી દીવાલો સામા પડઘા દેવા લાગી : “ મૂળરાજ ! ભાઈ મૂળરાજ !”   આભમાંથી જાણે ઠપકો આવે છે : “આવડી ઊંઘ ! આવડું બધું ઘારણ !”   દરવાજા ઉપરની મેડીમાંથી એક આંધળા ડોસાએ ડોકું કાઢ્યું. પૂછ્યું : “કોણ છે?”   “હું છું”   “ઓ હો હો હો ! એાળખાણો એ સાદ ! મારો બાપ આવ્યો ! રાખાઈશ આવ્યો ! મારું પેટ આવ્યો ! મારી આંધળાની આંખનું બીજું રતન આવ્યો !”   “બાપુજી !” રાખાઈશના ગળામાં પિતૃભક્તિનું સંગીત બંધાઈ ગયું : “બાપુજી ! જાગો છો ?”   “જાગું છું, બેટા ! હું અઢાર વરસથી જાગું છું. આવ્ય બાપ ! તને છાતીએ ભીંસીને પછી મરું !”   “બાપુજી ! આજ નહિ, આવતે અવતાર. આજ આ છાતી અપવિત્ર છે. મારે વરસ વરસ જેવડી ઘડી જાય છે. બેાલાવો, ભાઈને ઝટ બોલાવો !”   મૂળરાજે અટારીમાંથી હોંકારા સાંભળ્યા. એણે ડોકું કાઢ્યું : “ભાઈ !”   “હો ભાઈ !” 'ભાઈ' શબ્દ તે રાત્રિએ ધન્ય બન્યો. જગતમાં પહેલી જ વાર જાણે ભાઈએ ભાઈને બોલાવ્યો.   “આવડી બધી ઊંઘ ! બાપનું લોહી હજુ તો લીલું છે. બાપનો મારતલ હજુ રાજ ભોગવે છે !”   “બાપ ! તારો મામો ! આશ્રયદાતા !”   “ફિકર નહિ. તને બોલાવવા આવ્યો છું. સોમવારે ભાદરને કાંઠે શિવાલય ઉપર, સાંજરે.”   “અને તું ?”   “હું ? રજપૂત થઈને પૂછછ? હું મારા અન્નદાતાની મોઢા આગળ રહીશ. મરતાં પહેલાં એનો હિસાબ ચૂકવીશ, એની આગળ સાત ડગલાં રહીને મરીશ, પણ જોજે હોં ! હૈયું પોચું ન પડી જાય. જોજે ! ભાઈને માથે એ વખતે હેત ન આવી જાય; હાથ ઢીલા ન પડી જાય ! ઝીંકીને મારી છાતી પર ઘા કરજે, અને જાણજે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને પણ કટકેય નહિ મૂકું, મામાનું લૂણ -”   “ભાઈ ! મારે વેર નથી લે – ”   “ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્રોહનું પાપ ! યાદ દાખજે – સોમવાર, શિવાલય, સાંજરે !”   એટલું બોલીને રાખાઈશે ઘેાડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજી રહ્યા. કોઈએ કોઈ નું મોં પણ જોયું નહિ. ચાર આંખો ન મળી. ફક્ત અવાજે અવાજ ભેટ્યા: “ઊભો રહે ભાઈ!” એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં થંભી રહ્યો.   “વાહ મારા ફરજંદ ! વાહ સેાલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને !”   પ્રાગડના દોરા ફૂટે તે પહેલાં તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે ઊનું પાણી તૈયાર રાખેલું. ઘોડીને નવરાવી માલેશ કરી : જાણે એક ગાઉનીયે મજલ ન કરી હોય તેવી તાજી ફૂલમાળ બની રહી.   લાખાનો રિવાજ હતો કે રોજ સવારે આવીને પોતાનાં ઘોડાંના શરીરે હાથ ફેરવવો. એ આવ્યો. ફૂલમાળ ઉપર હાથ ફેરવવા લાગ્યો. કાંઈ ફરક ન લાગ્યો. ત્યાં લાખાની નજર ઘોડીના કાનમાં ગઈ, એણે કાનમાં આંગળી ફેરવી. આંગળી ઉપર માટી બેઠી. ડોળા કાઢીને એણે પૂછ્યું : “ખાસદાર! ફૂલમાળ કાલે રાત્રે ક્યાં ગઈ હતી ?”   "ક્યાંય નહિ, બાપુ ! તમારી આજ્ઞા જાણું છું."   “ખેાટું ! આ ધૂળ જોઈ? આ ધૂળ સોરઠની નો'ય. બોલ, કોણ ચડેલું ?”   ખાસદાર થંભી ગયો.   "કોણ, ભાણાભાઇ?"   ચાકરે ડોકું ધુણાવ્યું.   “હં ! સમજાણું !” લાખાની બેય ભમર ખેંચાઈને ભેળી થઈ.   આજે સોમવાર છે. મામા શિવાલયે જાય છે. સાથે સૈન્ય તૈયાર થાય છે. કોઈ દિવસ નહિ, ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે. મામાએ ભાણેજની તૈયારી જોઈ. ભાણેજના અંગ ઉપર કેસરિયાં છાંટણાં દેખ્યાં. ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયા. આજ દગો થવાનો. મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દીધો.   આગળ ભાણેજ ને પાછળ મામા : ભાદરમાં સ્નાન કરી, ધોતિયું પહેરી, ત્રિપુંડ તાણી, મામા શિવાલયમાં બેઠા. ૐકારના ધ્વનિ એમના પહાડી ગળામાંથી ગાજવા લાગ્યા. ઘીના દીવા થંભીને લાખાનાં સ્તવનો સાંભળી રહ્યા છે. શિવાલયને પગથિયે, મામાનાં હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે. તલવારની મૂઠ ઉપર પોતાનું દૂધમલિયું માથું ટેકવ્યું છે. મામાના મોંના ૐકારની સાથે જ એકતાલ બનીને ભાણેજના મોંમાંથી નિસાસા છૂટે છે. ભાદરને બેય કાંઠે લશ્કરનો વ્યૂહ રચાવા માંડ્યો છે.   આભમાં આંધી ચડે છે. સૂરજ ધૂંધળો થાય છે. ધરતીનાં પડ ધણધણી હાલ્યાં છે. સોલંકીનાં સહસ્ત્ર-સહસ્ત્ર ભાલાં કોઈ મહા દાવાનળની શિખા સળગતી હોય તેવાં ચળકી ઊઠ્યાં ! કાળી નાગણીઓ જીભના લબકારા લેતી હોય તેવી તલવારો ઝળહળવા લાગી. ભાદરને કાંઠે ભેટંભેટા થઈ. લોહીનાં પરનાળાં બંધાઈ ગયાં.   એ ભયંકર યુદ્ધમાં આટકોટના યોદ્ધાઓ કપાઈ ગયા. સોલંકીનું સૈન્ય સામે કાંઠેથી આ કાંઠે આવી પહોંચ્યું. એ વખતે લાખાની પૂજા ચાલુ હતી. પૂજા પૂરી થયા સુધી આસપાસ યુદ્ધનાં ઘમસાણ બોલાતાં હતાં, તોય લાખો ડગ્યો નહોતો. હવે એ ઊઠ્યો. સામે ભાણેજને બેઠેલો ભાળ્યો. “હાય હાય ! હમણાં મને કાપી નાખશે. મારાં હથિયાર એની પાસે છે. બહાર નીકળીશ એટલી જ વાર છે” – એવી એને ફાળ પડી. ભાણેજે ઊઠીને મામાને લૂગડાં દીધાં, બખ્તર પહેરાવ્યું. હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.”   “ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું !” લાખો જોઈ રહ્યો.   મૂળરાજ લગે।લગ આવી પહોંચ્યો. મામો-ભાણેજ કંઈકને કાપતા-કાપતા મુડદાંના ગંજો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.   ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો, હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.   ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.   “મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી.   “ભાઈ ! ભાઈ !” એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈ ને સાદ કર્યો.   “આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો ઝીંક્યો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂક્યું. મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી. રાખાઈશ પડ્યો. પછી લાખો પડ્યો.   જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો.   આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડ્યા હતા. ભાદરને કાંઠે હજારો શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડ્યા હતા: હજુ પ્રાણ નહોતા છૂટ્યા. એક સમળા આવી. રાખાઈશે આઘે પડ્યાં પડ્યાં જોયું કે સમળા મામાની આંખો ઠોલવા જાય છે. મામાનો જીવ હવે ઘડી-બે-ઘડી હતો. એને થયું : જીવતા મામાની આંખોનાં રતન જો સમળા કાઢી જશે તો મામાને અપ્સરા નહિ વરે; મારા મામાની અસદ્ગતિ થશે !   ઉઠાય તેટલું તો જોર નહોતું : શરીરના ટુકડા થઈ ગયા હતા. પોતાની આજુબાજુ ભોંય ઉપર હાથ પ્રસાર્યો. પણ હાથમાં પથ્થર નથી આવતો, અને ત્યાં તો સમળા મામાના માથાં ઉપર બેઠી. રાખાઈશ ભાન ભૂલી ગયો. કમ્મરમાંથી કટારી કાઢવા હાથ લંબાવ્યો. પણ ત્યાં કટારી કેવી ! માંસના લોચા લબડતા હતા.   કર ગો' કટારી, કર ગો' કાંચોળાં લગી, વગ કોઈના વણશી, રણ ભડતે રાખાશની.   કટારની જગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ન આવી. કાંચોળાં (આંતરડાં) બહાર લબડતાં હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટ્યો નહિ, ઝેાંટ મારીને તાણ્યો, તોડ્યો, સમળી સામે ઘા કર્યો. અધ્ધરથી લોચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડ્યા. રાખાઈશે “રામ” કહીને આંખેા મીંચી. એ રણમાં લડતાં લડતાં રાખાઈશે બન્ને કુળ (વગ) – મોસાળનું કુળ અને પિતૃકુળ – ઉજ્જવળ બનાવ્યાં.   કાપડ, માઢુ, લોહ, ધણ, નીંવડીએ વાખાણ, રાખાઈશ ઘાએ છંડિયો, તોય ન મેલ્યો માણ.   લૂગડું, મરદ, તલવાર ને સ્ત્રી – એ ચારેનાં તો નીવડ્યે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે, કેવી લાજ સાચવે છે, તે જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ, આ રાખાઇશ જખ્મોમાં છેક કપાઈ ગયેા હતો તોય પોતાની ટેક એણે ન છોડી, સાચો સ્વામીભક્ત નીવડ્યો.    રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયાં, મુવે જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.   હે મરનારના સ્નેહીજન, તારાં જે વહાલાં રણમાં રહ્યાં (મર્યા) તેને માટે કલ્પાંત મા કર. કલ્પાંત તો રણ છોડી નાસનારને માટે હોય. રણમાં મરનારનાં તો અપ્સરાની સાથે મંગળ લગ્ન થાય છે; એમાં રોવાનું હોય ? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા.   કોઈ સ્વજન, રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દીધું છે ત્યાં આવીને રાખ તપાસે છે :   રાખાઈશની રાખ, દાઝી તેાય ડાકર કરે, ઉપર મેલું હાથ, (ત્યાં) ભણે મુંહીં ભેળી થઈ.   આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે, ને હું હાથ મૂકું છું, ત્યાં તુરત જ ભેળી થઈને મને ભેટે છે.   આટકોટ આગળ 'લાખા ગરદી' નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.   [ચારણો આમાં એક નવીન જ દંતકથા મૂકે છે કે એક વખત આટકોટના કેટલાક વેપારીઓ જાવા દેશમાં જતા હતા. તેઓએ લાખા પાસે આવીને અરજ કરી કે, 'બાપુ, આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.' લાખાને જોષીઓએ કહ્યું હતું કે, અઢાર વરસની ઉંમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે. લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડુબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજને સાથે મોકલ્યો. દૂર દૂર દરિયામાં એક કાળો પહાડ આવ્યો. વહાણ પહાડની પાસે ઘસડાઈ ગયું. ત્યાં દરિયાઈ વે

નરશી મહેતા નો ચોરો      તળેટી રોડ        જૂનાગઢ

નરશી મહેતા નો ચોરો      તળેટી રોડ        જૂનાગઢ     ભગવાન શ્રી કૃષ્ણ એ જેમના બાવન (૫૨) વખત કામ કરવા આવવું પડ્યું તે તેમના ભગત શ્રી નરશી મહેતા નો ચોરો,જૂનાગઢ   જૂનાગઢઃ અસલ રાસ ચોરો જ્યાં બેસીને નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા સીધી વાતચીત      જ્યારે બોલાવશે, ત્યારે આવશે' એવાં કોલ સાથે બંધાયેલા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલ એક અતિમહત્વનું સ્થાન      જૂનાગઢની એક ઓળખ એટલે નરસૈંયાની નગરી; ભક્તકવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલ છે, જેમાનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો . જે જગ્યા સાથે અનોખી લોકવાયકા અને મહત્વતા જોડાયેલી છે.   વિક્રમ સંવત 1465 માં ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલાં નરસિંહ મહેતાએ નાનપણમાં જ પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી. જે પછી તેઓ તેમનાં મોટાભાઈ અને ભાભી સાથે રહેવા લાગ્યાં. મહેતાજીને ભજન અને પ્રભુભક્તિ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ પડતો નહીં, આથી પોતાની મસ્તીમાં મસ્ત રહેવાવાળા મહેતાજીને અનેક વખત મહેણાં સાંભળવા પડતાં. એક વખત તેમના ભાભીએ મારેલું મહેણું સહન ન થવાથી, તેઓએ ઘરનો ત્યાગ કર્યો અને તેઓ ગોપનાથ મહાદેવની ભક્તિમાં લિન થયાં. નરસિંહ મહેતાની આકરી ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયાં અને મહેતાજીને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં.     રાસલીલાના દર્શન કરતાં કરતાં મહેતાજી એવા લિન બની જાય છે કે, પોતાની હાથમાં રહેલી મશાલ સાથે તેઓનો હાથ પણ સળગવા લાગે છે. નરસૈંયાની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ અભયવચન આપ્યું કે, મહેતાજી જ્યારે જ્યારે ભગવાનને બોલાવશે, ત્યારે ત્યારે તેઓ હાજર થાશે! જે પછી ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત નરસૈંયાના કામ કરવા અનેક વખત આ પૃથ્વીલોક પર આવે છે અને કામ ઉકેલે છે. જે સ્થળ ઉપર નિવાસ કરીને મહેતાજી ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ બન્યાં હતાં, તેની યાદી કરાવતું સ્થળ 'નરસિંહ મહેતાનો ચોરો' આજે પણ દર્શનાર્થીઓ માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે.   અસલ રાસ ચોરાનું મહત્વ:     નરસિંહ મહેતાના ચોરા ખાતે આવેલ અસલ રાસ ચોરો વિશેષ મહત્વતા ધરાવે છે. એવું કહેવાય છે કે, નરસિંહ મહેતા અહીંયા જ બેસીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સીધી વાતચીત કરતાં હતાં. હાલમાં પણ આજે અસલ રાસ ચોરાની મધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણના દર્શન થાય છે.   ગોપનાથ મહાદેવનું મહત્વ:   ભક્તકવિ નરસિંહ મહેતાનો જન્મ શિવપંથી નાગર કુળમાં થયો હતો, જેથી તે શિવપૂજા સવિશેષ કરતાં. ભક્ત નરસૈંયાએ શિવજીની આરાધના કરીને, ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા. આથી નરસિંહ મહેતા ચોરાના મંદિર પરિસરમાં ગોપનાથ મહાદેવજીનું મંદિર પણ દર્શનીય સ્થાન છે.   નિજ મંદિરમાં દ્રશ્યમાન થતી પ્રતિમાઓ 500 વર્ષ કરતાં વધુ પુરાણી છે:   નરસિંહ મહેતા ચોરા મંદિરમાં બિરાજતી પ્રતિમાઓ સાથે જોડાયેલી એક લોકવાયકા પ્રમાણે, નરસિંહ મહેતાના દેહાંત પછી, સોમનાથના દરિયામાંથી આ પ્રતિમાઓ સ્વયંભૂ મળી આવી હતી. જેને અંદાજે 500 વર્ષ કરતાં વધુ સમય પહેલા નરસિંહ મહેતા ચોરા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી, ત્યારથી લઈને આજ દિન સુધી ભાવિકો તેના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

રાણકદેવી મંદિર    વઢવાણ   સુરેન્દ્રનગર    ગુજરાત

રાણકદેવી મંદિર    વઢવાણ   સુરેન્દ્રનગર    ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ    તેથી સિદ્ધરાજે ત્યાં એક મંદિર બંધાવ્યું એવી માન્યતા પ્રચલિત છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના કિલ્લાની રાંગ પાસે આવેલા શિવમંદિરને લોકો રાણકદેવીના મંદિર તરીકે ઓળખે છે. વાસ્તવમાં રાણકદેવીની દેરી તો ભોગાવા નદીના કિનારે બતાવવામાં આવે છે.   આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેની માહિતી મળતી નથી. માત્ર તેના બાંધકામ ઉપરથી તે દશમા સૈકામાં બંધાયેલું માનવામાં આવે છે. એના શિખરની રચના અનુ-મૈત્રકકાલની છે; પરંતુ બારમા સૈકામાં થઈ ગયેલ રા’ખેંગારની રાણી રાણકદેવીના નામે કેમ ચડી ગયું હશે તે અસ્પષ્ટ છે. ડૉ. મધુસૂદન ઢાંકી અને હરિશંકર શાસ્ત્રી વર્ધમાન(વઢવાણ)ના ચાપ (ચાવડા) રાજા ધરણીવરાહના શાસનકાળમાં ઈસુની નવમી શતાબ્દીના અંતિમ ચરણમાં આ મંદિર બંધાયું હશે, એમ જણાવે છે. ડૉ. કાંતિલાલ સોમપુરા આ મંદિરને વહેલામાં વહેલું દસમી સદીમાં મૂકે છે.   આ મંદિર 9 મીટર જેટલું ઊંચું છે. મંદિરના શિખર ઉપર આમલક અને કળશ છે. મંદિરની બહારની ત્રણેય દીવાલોમાં ગવાક્ષ છે; પરંતુ તેમાં હાલમાં મૂર્તિ નથી. મંદિરની બહારની દીવાલોમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ, લટકતા ઘંટ અને તમાલપત્રનાં શિલ્પો શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ મંદિરમાં જળાધારી ઉત્તર તરફ જતી હોઈ તે શિવમંદિર હોવાનું પ્રતીત થાય છે. આજે તો બહાર ઊખડી ગયેલો પોઠિયો પણ ત્યાં પડેલો જોવામાં આવે છે. ગર્ભગૃહમાં સાદા પથ્થરની બે મૂર્તિઓ રાખવામાં આવી છે, ત્યાં ઉપર મહાકાળી અને રાણકદેવીનાં નામ લખેલાં છે. ગર્ભગૃહના દ્વાર ઉપર મૂર્તિશિલ્પ, બ્રહ્મા અને શિવ તેમજ અન્ય આકૃતિઓ કંડારેલી છે. જેમ્સ બર્જેસે આ મંદિરને રાણકદેવીનું સ્મૃતિમંદિર કહ્યું છે.    બાજુમાં ગાયો ના રક્ષણ અર્થે પોતાના પ્રાણ આપનારા ના પાળીયા છે    

*સતી રૂપાદે માલદે* 

*સતી રૂપાદે માલદે*    રૂપાંદે મેવાસાના મહારાજા માલદેવને વિનંતી કરે છે કે હે રાવલ માલદે મારે સંસાર માંડવો નથી મને સંસારમાં મોહ નથી મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં આયખુ કાઢી નાખવું છે પણ હે મેવાસા મના રાજવી માલદે તમે જો મજબુર કરશો તો મારી બે શરતો નું પાલન કરો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું    એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે અને બીજુ.અઢારે વરણના લોકો સાથે મળી રાજ મહેલમાં બીજ ને પૂનમ ના દિવસે ભજન સત્સંગ કરશે.   માલદે શરત મંજુર રાખે છે રૂપાંદેએ એક વેલડામાં પોતાના સદગુરુ મેઘધારુજીને બેસાડ્યા અને બીજા વેલડામાં પોતે બેસી મેવાસા ના સીમાડા સુધી પહોંચ્યા ત્યાંતો માલદેએ રુપાંદેના ગુરુ મેઘધારુંના રથ પાસે જઈને સીમાડે જ ઉતરી જવા અને ગામમાં ક્યારેય પ્રવેશ નહિ કરવાનું દબાણ કરી મેવાસાના સીમાડે જ રોકાઈ જવા મજબુર કર્યા .   બીજા રથમાંથી રુપાંદે પોતાના સદગુરૂ નું અપમાન થતું સાંભળ્યું પણ માલદે ને ખબર ન પડવા દીધી એ મનોમન વિચારવા લાગ્યા કે માલદે વચન આપીને ફરી ગયા આવા વચનભંગી નો કદી વિશ્વાસ ના કરાય રૂપાંદે એક શબ્દ બોલ્યા નહિ પણ મનોમન નક્કી કરી લીધું કે આ પુરુષની સાન ઠેકાણે લાવી એને ગુરુ મહિમા નું ભાન જરૂર કરાવીશ.   રાજ મહેલમાં ગયા પછી રુપાંદેને ખબર પડી કે માલદે ને એક પરણેતર ચંદ્રાવલી નામની રાણી છે અને એક દીકરો પણ છે. મહેલના રંગરોગાન માં પણ રૂપાંદે ભક્તિના રંગે રંગાતા રહ્યા.    એક દિવસ પોતાના ગુરુ મેઘધારુ જે ગામને સીમાડે ઝુંપડી બાંધી રહેતા હતા એમણે રૂપાંદેને ભજન સત્સંગનું વાયક મોકલ્યું , માલદે બહુ ક્રૂર હતા પોતાને જવા નહિ દે એ બીકને કારણે રૂપાંદે અરધી રાતે ચોરીછુપીથી એકાદશીના પાઠમાં જાય છે આ બાજુ માલદેની બીજી રાણી ચંદ્રાવલી રૂપાંદે ને ભજનમાં જાતા જોઈ જાય છે એટલે માલદેને જગાડે છે પોતાના સદગુરુ અને ગતગંગા સાથે રૂપાંદે ભજનની રમઝટ બોલાવે છે પરંતુ માલદે પાછળ પાછળ આવે છે માલદે જેવા ઝુંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાટ ની જ્યોત ઝાંખી પડી ગઈ. { જ્ઞાનરૂપી જ્યોત અજ્ઞાનીરૂપી આંધળાને દેખાતી નથી } સદગુરુ મેઘધારું કહેવા લાગ્યા કે નક્કી કોઈ નુગરો આવ્યો લાગે છે આ સાંભળી રૂપાંદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદે ના આવ્યા હોય !    ગુરુજી મને રજા આપો મારે જાવું પડશે નહિતર અનર્થ થઈ જાશે. બહાર નીકળ્યા ત્યાં તો મોજડી ગાયબ. ઝૂંપડીની અંદર જઇ ગુરુજીને વાત કરી ગુરુજી કહે (મોહ થી જડેલી) મો-જડી તો મોહાંધ માલદે જ ઉપાડી ગયો લાગે છે , પણ દીકરી સાધુડાના ઘરમાં કોઈ ચોરી કરી શકે જ નહીં તું ઝૂંપડીની બહાર નીકળ ત્યાં મોજડી પડી હશે ! રૂપાંદે મોજડી પહેરી મહેલ તરફ જવા લાગ્યા ત્યાં સાંકડી શેરીએ ઉભેલા માલદે એનો રસ્તો રોકી ત્રાડ નાખે છે કે આટલી મોડી રાતે ક્યાં ગયા હતા ? રૂપાંદે નીડર બની માલદે સામે જોઈ રહ્યા માલદે એ ભેટ માં એકબાજુ સંતાડેલી મોજડી બતાવી અને ભેટની બીજી બાજુ ખોંસેલી તલવાર ખેંચી ત્યાં તો એની નજર રૂપાના પગ ઉપર પડી એ જ મોજડી હતી અને વળી એક વેંત ઊંચી { સદગુરુ ની કૃપાએ મુઠ્ઠી ઉંચેરા ન થઈએ તો પછી સદગુરુના શરણે જવાનો અર્થ જ શું ?}   માલદે ને ખૂબ નવાઈ લાગી કે હે રૂપાંદે મને જોયા વગર જ તમારા ગુરુને કેમ ખબર પડી કે ઝૂંપડીની બહાર નુગરો આવ્યો છે ? અને જે મોજડી મારી ભેટમાં ખોસીને લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી ? મેં તમને મારી સગી આંખે મેઘધારૂ ના ઘેરે પ્રસાદી થાળીમાં મુકતા જોઈ છે તો પછી આ ફુલ આવ્યા ક્યાંથી ? રૂપાદે કહે હે માલદે સદગુરુ મેઘધારુજી નો આ પ્રતાપ છે   હે રૂપા મને પણ સદગુરુ ના દેશમાં લઈ જાઓ મારે પણ ગુરુ શરણે જાવું છે   રૂપાંદે એ કહ્યું કે હું કહું એ ચાર ને તમે મારી નાખો તો ગુરુ ઉપદેશ મળે. તમે વચન આપો આ ચારેય ને મારી નાંખશો !   1 મોભી દીકરો 2.ચંદ્રાવલી રાણી 3. કવલી ગાયનો વાછરો 4. રેવત વીર (ભાઈ)   માલદે તરતજ આ ચારેય ના માથા વાઢી નાખવા તૈયાર થઇ મહેલ તરફ જાય છે ત્યારે રૂપાંદે કહેવા લાગ્યા કે હે રાવલ માલા ગુરુ શરણે જવા માટે દેહના માથા વાઢવાની નહિ પરંતુ તમારા 1. મોહરૂપી દીકરાને 2. વાસના રૂપી રાણી ને 3. માયારૂપી ગાયનું વાછરડું અને 4. મદરૂપી રેવત ને મારવાના છે.   જ્યાં સુધી કામ ક્રોધ મોહ અને માયા નો વધ નહીં થાય ત્યાં સુધી તમે નુગરા જ રહેવાના !   રાવલ મનોમન નક્કી કરી રૂપાંદેની ચારેય શરતોનું પાલન કરવા તૈયાર થાય છે અંતે, રૂપાંદે કામી-ક્રોધી પતિ માલદેવ ને પોતાના ગુરુ મેઘધારુ પાસે લઈ જાય છે છેવટે મેઘવાળ મેઘધારુ એ માલદેને નિજાર જ્ઞાનનો બોધ આપ્યો.    ઉપદેશ લીધા પછી રૂપા અને માલદે ગઢ મેહવા નગરમાં જીવનના અંતિમ દિવસ સુધી અવિરત જ્ઞાન મગ્ન રહ્યા.   સવંત ૧૬૧૯ એટલે કે ઇ.સ. 1562 માં રૂપાદે માલદેવ એમના સદગુરુ મેઘધારુ સહીત કુલ સાત સંતોએ એકજ સાથે મેહવા નગરમાં લુણી નદીના કિનારે સમાધિ લીધી હતી.   આજે પણ આ નિજારી જતિ-સતિ ની યાદમાં અહીં ભવ્ય લોક મેળો ભરાય છે.   જય અલખ ધણી

લાખાપાદર નો ઈતિહાસ

લાખાપાદર નો ઈતિહાસ દીકરો! ‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે; અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.   ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : ‘આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !’ થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે. ‘…..ને આ ઊનની ડળી.’ એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે. ‘આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હો !’   ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે, ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે : ‘કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું ક્યારથી પેઠું, ભાઈ ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?’   ‘ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.’   ‘હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના. એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.’   બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : ‘ઈ કોણ મુછાળો ચાંદાં કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા !’   ‘આપા દેવાત વાંક !’ આદમીએ થડક્યા વિના જવાબ દીધો : ‘ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુખ્ખ થાવું જોવે – હરખાવું નો જોવે.’   ‘આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !’   ‘તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.’   ‘લે ત્યારે, લાખા વાળા !’ એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું : ‘લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર….’   ‘હાં….હાં…..હાં…. ગજબ કરો મા, બા !’ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : ‘આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.’   ‘ના, ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે !’ એમ કહીને લાખો વાળો તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : ‘કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.’ એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.   એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે કે, ‘આપા, આજની રાત તો નહિ જાવા દઈએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે ?’ લાખો વાળો કચવાતે મને રોકાયો.   આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરી કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાના ફળીમાં જઈને હાકલા કરવા મંડ્યો : ‘કાઠી ! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો’તો !’ ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : ‘આપા દેવાત ! કાઠી ઘરે હોત તો તે શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.’   ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો :   ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે, ……… એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે, ………. ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે. શીદને રોવો છો દાદા, શું છે અમને કે’જો રે, ……….. દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે ! સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે ! …………. હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.   દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આતમરામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે !’ પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો. ઓરડામાંથી મા કહે છે કે, ‘બેટા હીરબાઈ, આંહીં આવતી રહે.’   પણ હીરબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.   નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી : ‘માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.’ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે, ‘ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.’   ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યાં ! ‘હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ….. પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જોઉં તો ખરો.’   દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું : ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો : ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’

વળાવીયો

"વળાવીયો"   ` મદારસંગ ચુડાસમો કેશોદ જૂનાગઢ ના ચુડાસમા નો ભાયાત હતો, એના જીવન ની એક ધૂન હતી કે કોઈ પણ જાન નું વળાવું કરવું હોય તો તે દરેક વખતે તૈયાર, ઘેડ અને નાઘેર માં એનું વળાવું વખણાતું. ટેકિલો, એકવચની, તેજસ્વી અને શૂરવીર મદારસંગ, કેશોદ ના તથા આજુબાજુ ના મહાજન વર્ગ માં સર્વપ્રિય હતો. મહા મહિનો તો મદારસંગ ના જીવન માં ખરેખર મહાન નિવડતો, આખોય મહિનો તેને જાનો માં જવું પડતું, વળાવીયા તરીકે એમના નામ ની શાખ હતી.           મદારસંગ ને ગરાસ માં બે ખેતર હતા. તે ભાગા માં ખેડાવી લેતો અને તેમાંથી જે દાણો આવે તેમાં જીવન નિર્વાહ ચલાવતો, બાકી ડેલી એ કાયમ જે કાવા કસુંબા ચાલતા તે વળાવામાંથી પતતું.           કોઈ પણ ચારણ આવે તો મોટા ગિરસદારો ને છોડી મદારસંગ નો જ મહેમાન થતો, અને મદારસંગ ની કીર્તિ આખાયે સોરઠ માં એ વખતે ગવાતી.           મદારસંગ ને સહુકોઈ વળાવીયા તરીકે જ ઓળખતા. ચોર, લૂંટારા અને બહારવટિયા મદારસંગ નું નામ સાંભળી ને જ છેટા રહેતા. મદારસંગ બે બંદુક બાંધતો અને તેના નિશાન અચૂક ગણાતા. જ્યાં જાન ગઈ હોય ત્યાં વળાવીયા ની બહાદુરી ની હરીફાઈ થતી. ગામને પાદર ઊંચો પીપળો હોય તેની છેલ્લી ડાળીએ એક કામઠું બાંધી તેમાં એક નાળિયેર લટકતું રાખવામાં આવે, જો જાન નો વળાવીયો એ નાળિયેર પહેલે જ નિશાને પડે તો જાન જીતે અને નહીં તો એ વળાવીયો હાર્યો ગણાય. મદારસંગે એવા સો નાળિયેરો જીત્યા હતા, એટલે એને સહુ સો નાળિયેરો કહેતા.             "ક્યાં છે મદારસંગ બાપુ !" ડેલી બહારથી કોઈ નો અવાજ આવ્યો,           "એલા એ કોણ છે ?"           "બાપુ ! રામરામ, એતો હું રામજી"           "ઓ હો, રામજી શેઠ, આવો ! આવો !"           "બાપુ આપને તકલીફ આપવાની છે."           "ત્હમે નહીં આપો તો કોણ આપશે ?" મદારસંગે પોતાની મરોડદાર મૂછ પર હાથ ફેરવ્યો.           "અમે તો માનીએ છીએ કે બીજા મોટા દરબારો છે પણ આપ જ અમારા સાચા દરબાર છો."   રામજી એ મદારસંગ ની સામે બેઠક લીધી.             "રામજી શેઠ ! હું તો બધાય થી ન્હાનો માણસ છું. બોલો તમારું શું કામ કરી આપું ?"           "આપની પાસે તો એક સિવાય બીજું શું કામ હોય ?"           "એટલે ?"           "આ આપણા જમનાદાસની જાન માધવપુર જવાની છે એટલા માટે આવ્યો છું."           "લગ્ન ક્યારના છે ?" મદારસંગે હોકા નું ફૂંક ખેંચી.           "લગ્ન તો અજવાળી પાંચમના છે."           "દસમ ને દિ કરમશી શેઠની જાન અજાબ જવાની છે, એને મેં વચન આપ્યું છે એટલે જમનાદાસ ના લગ્ન માં ક્યાંથી અવાય ?"           "બાપુ ! આઠમ ને દિવસે તો આપણી જાન પાછી આવી જશે એટલે આપ કરમશી ને આપેલું વચન પાળી શકશો."           "રામજીશેઠ ! તમારા બાપુ ને મારા બાપુ બેય ભાઈબંધ હતા એટલે મારે તો તમારે વચને આવવું જ જોઈએ." -----------------------------------              છઠ નો ચંદ્રમા આકાશે ચડ્યો, માધવપુરના પાદરમાં પવનમાં ઝૂમી રહેલા નાળિયેરીના વનમાં જાણે ભાતીગળ ચંદરવો હોય તેવા તેજ વેરાયા.            "દરબાર અહીં કૃષ્ણ ભગવાને રુક્ષમણીનું હરણ કરી લગ્ન કર્યા હતા તે વાત તો યાદ છે નાં ?"   વિશ વરસની નવયૌવના કેસરની આખો અજવાળીયામાં નાચી. દરબાર આ વખતે નીચું જોઈ રહ્યા.              "મદારસંગ ! હું બધાની લાજ મરજાદ છોડી તમારી પાસે આવી અને તમે તો મૂંગા મંતર થઇ ઉભા છો."              બ્રાહ્મણ જળથી ઓસરે,                   ક્ષત્રિ રણથી જાય :            વૈશ્ય ડરે વેપારથી,                   એ કાયર કહેવાય ;             "કેસર તે બરાબર કહ્યું. ક્ષત્રિએ રણથી કાયર ન થવું. પણ આ તો રણ ને બદલે અનીતિનો અખાડો જમાવવાની વાત છે."           "મદારસંગ ! નીતિ અનીતિ એતો વાતો જ છે. હું તો આજ બે વરસથી તમારા નામની માળા જપુ છું. ત્રીજે વર્ષે તમે કાનજીની જાનમાં અણીયાળે વળાવીયા તરીકે આવ્યા હતાં ત્યારથી હું રોજ તમારા તરફ પ્રભુની માફક જોયા કરું છું. આજે તમે કૃષ્ણ થાઓ અને હું તમારી રુક્ષમણી બનું."           "કેસર ! ભગવાન ને નામે તને હું કહું છું કે એ વાત મૂકી દે. હું ચુડાસમો રાજપૂત છું, મહાજનની વહુ દીકરીઓ એ મારી બહેનો ગણાય."           "આટલી બધી કાયરતા ?"           "આને તું કાયરતા કહે છે ?"           "જરૂર કાયરતા ! આવી એકાંતમાં આવી દિલની વાત કહેનારી મારા જેવી મળે ત્યારે તમે નીતિ ના પુરાણો ઉકેલો એ કાયરતા નહીં તો બીજું શું ?"                  સોના સરીખા રંગની,                        હાલે મોડા મોડ :                પાલવ નૈપુર ઠમકતાં,                         બોલ્યે ઝાઝું જોર ;             "કેસર હું હવે ત્યારે તને સાચી વાત કહી દઉં ?"           "મારે મન સો વાતની એક વાત છે, બોલો હા કે ના ?"   મદારસંગ જવાબમાં તિરસ્કારથી હસ્યો.             "કેસર હું વળાવીયો છું. વળાવીયો એટલે આખી જાનની નીતિ રીતિ અને જાનમાલ નો રક્ષક. એને તું ભક્ષક થવાની સલાહ આપે છે ?"           "મારે એ તમારું કાઈ સાંભળવું નથી." કેસરે તોછડાઈ થી કહ્યું.           "કેસર ! ગુપચુપ જાનને ઉતારે બારણેથી ચાલી જા. મદારસંગને એના ધર્મમાંથી ચતરાવવા અપ્સરા અવતરે તો એનું પણ કઈ ચાલે એમ નથી તો તું કોણ ?"            "દરબાર, પીરસેલી થાળી ઠેલો છો તો પસ્તાશો."            "પસ્તાવાનું તો મેં મારા જીવન માં કઈ રાખ્યું જ નથી. પણ તને ચેતાવું છું કે ફરી થી જો આવું કઈ કરીશ તો ગોળીએ દઈશ. ઘરડેરા સાચું કહી ગયા છે કે સ્ત્રીઓ ને જાનમાં લઇ ન જવી."           "દરબાર, હજુ કહું છું માનો !"           "બાપુ જા ! ભગવાનને ખાતર જા. મ્હારો પિત્તો ઉછળશે તો રંગમાં ભંગ થશે. મેં તારા જેવી તો ક્યાંય દીઠી નથી."           "દરબાર તમે તો રાજપૂત નહીં કાયર છો કાયર."   મદારસંગ નો પિત્તો ઉછળ્યો, તેણે તલવાર પર હાથ નાખ્યો, પણ તેટલામાં તો કેસર જાનના ઉતારા તરફ ચાલતી થઇ.           માધવપુરમાં રામજીના દીકરા જમનાદાસની જાન આવી પાંચમના લગ્ન ધામધૂમથી થઇ ગયા. જાનને ગામની બહાર નાળિયેરીના વનથી થોડે દૂર એક વાડામાં ઉતારો અપાયો હતો. મદારસંગ જાનમાં વળાવીયા તરીકે સાથે આવ્યો હતો તેણે પોતાનો ઉતારો નાળિયેરીના વનમાં કર્યો હતો.           આજે લગ્નનો બીજો દિવસ છે, સહુ જાનૈયા ગામમાં વેવાઈ ને ઘરે ગયા એ વખતે તક સાધી રામજીના સાઢુભાઈની દીકરી કેસર વનમાં મદારસંગ પાસે આવી પહોંચી. કેસરનું નામ કેશોદમાં પણ હલકું હતું. એનો વર પાંચ વરસથી પરદેશ ગયો હતો એટલે એને માટે ગામમાં જેમતેમ વાતો થતી. દરબાર મદારસંગને એ વાતો આજે સાચી લાગી. -----------------------------------             જાન માધવપુરથી કેશોદ તરફ રવાના થઇ. કેસરનો પ્રસંગ બન્યા પછી મદારસંગને બે દિવસ માધવપુરના બહુ ભારે લાગ્યા. એને કાવા-કસુંબા કડવાં ઝેર જેવા લાગ્યા, કેસરના વર્તનથી એનું દિલ ડંખતું હતું.           "કેમ મદારસંગ બાપુ ! કઈ તબિયત મોળી છે ? બે દિવસથી આપનો ચેહરો ઉતરી ગયેલો કેમ લાગે છે ?" રામજીએ સોપારી ભાંગીને એનો ભૂકો મદારસંગ તરફ ધર્યો.           "એતો અમસ્તું, કોઈ વખત વાદળા આવે ત્યારે આકાશ જેમ તેજ વિનાનું થઇ જાય છે એમ માણસને પણ આડા કોઈ દિવસ વાદળા આવે."           "આપને શૂરવીર ને વાદળા કેવા ?"   પંચાળાની સિમ માં જાન ઠૂંગો કરવા ખોટી થઇ ત્યારે રામજી અને મદારસંગ વચ્ચે આવી સહજ વાતો થઇ પણ મદારસંગે ખરી વાત છુપાવી કેસર સાથે બનેલો પ્રસંગ કોઈને કહેવો કે નહીં એ વિચારમાં મદારસંગ મુંજાતો હતો.           જાનના કામ એટલે ઉતાવળ કરતા કરતા પણ માધવપુરથી નીકળતા મોડું થયેલું એટલે પીપળીને પાદર જાનને દિ આથમી ગયો. આ વખતે નાઘેરમાં કાદૂનું બહારવટું જામ્યું હતું. જાન એટલે જોખમ ઘણું છતાં મદારસંગ વળાવીયા તરીકે હોવાથી રામજીને એ બાબતનો કઈ વિચાર પણ ના આવ્યો.           કેસર વરના ગાડાંમાં બેઠી હતી એટલે મદારસંગ થોડે છેટે ચાલતો હતો. એ પોતાની વિચારઘટનામાં એટલો બધો ગૂંથાઇ ગયો હતો કે મોડું થયું છે, એ બાબત પર કઈ ખાસ ધ્યાન ગયું નહીં.           પીપળીથી જાન નીકળી ત્યારે દૂર દૂર શિયાળયા બોલ્યા, જાનમાંના એક વૃદ્ધ પુરુષે બીજાને કહ્યું, " અત્યારે ચિન્હ સારા દેખાતા નથી."           વૃદ્ધની વાત સાચી પડી, પીપળીની ધાર આગળ ગાડાં પોહચ્યા ત્યાં રાત જામી ગઈ હતી. પીપળીની ધાર એટલે દિવસમાં પણ સુમસામ લાગે, રાતનાં તો મુસાફરો ત્યાંથી જાય તો જરૂર એના ધબકારા વધે એવી એ જગ્યા. દૂર દૂર કેશોદ દેખાય અને પશ્ચિમે ઉઠી ઉઠી પીપળીનાં ઝાડવા ઝાંખા ઝાંખા લાગે એવું એ ઉજ્જડ સ્થળ છે.            ગાડાં એક ધાર ઉતરી બીજી ધાર ચડે ત્યાં તો સામે ધાર ઉપર પાંચ બુકાની બાંધેલા યુવાનો ચડતા હોય તેમ લાગ્યું.           સહુએ આ વખતે મદારસંગ તરફ આંખો ફેરવી. રામજી ગાડાંમાંથી નીચે ઉતરી મદારસંગ પાસે આવ્યો.            "મદારસંગ બાપુ ! ધાર ઉપર કોઈ જણ એવું જણાય છે." મદારસંગ જવાબમાં હસ્યો.           "કોની માંએ શેર સૂંઠ ખાધી છે કે મદારસંગ વળાવીયો હોય અને જાનનો એક વાળ પણ વાંકો કરી શકે ?"           "ત્યારે બાપુ આપ આગળ ચાલો એટલે ગાડાં ચાલે." મદારસંગ સહુની મોખરે થયો. પોતાની બંને બંદૂકો તેણે તૈયાર રાખી.            ગાડાં બરાબર ધાર ઉપર ચડ્યા; એટલામાં પાંચ બુકાની બાંધેલા પુરુષો ગાડાંના ચીલામાં આડા ઉભા.           "એલા કોણ માટી ?" મદારસંગે પડકાર કર્યો. મદારસંગનો અવાજ પેલા પાંચે જણાએ ઓળખ્યો.           "એ તો અમે." પાંચમાના એકે દ્રઢતાથી જવાબ આપ્યો.           "આઘા ખસી જાઓ, જાનના ગાડાંને જાવા દિયો, નહીંતો મદારસંગના હાથનો રસ ચાખવો પડશે."            પેલા ત્યાં પત્થરની માફક જડાઈ રહ્યા. ન ખસે કે ન બોલે.            રામજી આ દ્રશ્ય જોઈ ગભરાયો. તેણે મદારસંગના કાનમાં પોતાનું મોઢું ધર્યું.            "બાપુ ! હવે શું કરશો ?"           "હું મરીશ ને મારીશ, બીજું શું કરીશ ? હું જીવતો છું અને તમને એ લૂંટે એતો સુરજ પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે તોજ બને - જુવાનો કાદૂ ને કહેજો કે મદારસંગ મળ્યો હતો. ખસી જાઓ !"           આ વખતે એમાંના એકે દૂર જઈ શિયાળ્યું બોલે તેમ અવાજ કર્યો. તુરત જ ધારને બીજે પડખેથી એવો જ અવાજ આવ્યો. આંખના પલકારામાં તો બીજા પાંચ જણાઓ આ દિશામાં દોડતા આવ્યા.           આવનારમાંથી એક બોલી ઉઠ્યો.           "મદારસંગ ખમી જા ! આજ તો અમને આ જાન લૂંટવા દે. તું વળાવીયો હોય ત્યારે દર વખતે અમે તારી શરમ રાખીયે છીએ પણ આ વખતે નહીં રાખીએ."           મદારસંગ આ અવાજ ઓળખી ગયો.           "કાદૂ ! હું જીવતો હોય ત્યાં સુધી મારા શેઠ લૂંટાય જ નહીં. એતો મદારસંગનું માથું પડે પછી જ એના ઉપર કોઈ હાથ નાખી શકે."           "કાદૂ" શબ્દ સાંભળતા જ ગાડાંમાં બેઠેલ જાનૈયાઓનું લોહી ઠંડુ પડી ગયું. રામજી પણ ખુબ ગભરાયો.           "મદારસંગ ! નકામો શું કરવા મરી જાછ." કાદૂએ શિખામણ આપી.           "એમ મરવાની તો અમારા કુળ ની રીત છે."                 "શ્યામ ઉગારી રણ રહે,                        એ રાજપુતા રીત :                જ્યાં લગ પાણી આવતે,                      ત્યાં લગ દૂધ નચિંત ;"             બીજીજ પળે ધીંગાણું જામ્યું. ગાડાંવાળામાં ત્રણ આહીર હતા એને પડકારી મદારસંગે જુસ્સો ચડાવ્યો. આ રીતે મકરાણીઓ સામે મદારસંગ થયો.           બંદૂકો ખાલી થઇ એટલે તલવારો ઉછળી, ગાડાંવાળા આહીરો તો ગાડાંમાં નાંખેલા આડા લઇ કૂદી પડ્યા.           જાનના બાકીના માણસો તો ધ્રુજતા હતા. વરના ગાડાંમાં બેઠેલી કેસર મદારસંગના પરાક્રમ જોઈ રહી હતી, તેને લાગતું હતું કે સામેના માણસો મદારસંગને આજ પૂરો કરશે પણ સહુની અજાયબી વચ્ચે મદારસંગ અજબ રીતે લડી રહ્યો હતો, વચમાં એક વખત કાદૂએ પડકારો કર્યો.            "મદારસંગ, રહેવા દે ! રહેવા દે ! આ જાનની લૂંટ નો અરધો-અરધ ભાગ તને આપીશ..!"           "ઈ ઘર બીજા - કાદૂ ! એ ઘર બીજા." એમ બોલતા મદારસંગે કાદૂના બે જણને પુરા કર્યા.           હવે મદારસંગ સહેજ થાકતો હોય તેમ લાગ્યો.           જાનનાં સર્વે માણસો તેના તરફ જોઈ રહ્યા હતા. સઘળાના જીવનની આશા તેના ઉપર હતી. એટલામાં તો મદારસંગને એક તરવારનો સખ્ત ઝાટકો ડાબા હાથ પર લાગ્યો. તે ઘવાયો, પેલા આહીરો શૂર પર ચડ્યા. ઘવાયેલા મદારસંગે હં-મારો વીર, મારો કાપો એવું બુમરાણ કરી મેલ્યુ.           ધીંગાણામાં આ રીતે બહારવટિયાઓએ વિજય થશે એ આશાએ જોર માર્યું. પણ એટલામાં ધનસારી તરફથી ઘોડાના ડાબલા સંભળાયા, બહારવટિયાઓએ છેલ્લો હુમલો કર્યો અને બીજી પળે ઉત્તર તરફ નાસ્યાં, નાસતા પેહલા કાદૂના એક સખ્ત ઝાટકાએ મદારસંગને પાડ્યો, ધીંગાણાની જગ્યાએ આઠ ઘોડેસ્વારો આવી ઉભા તેમાંના છ જણાઓએ પોતાના ઘોડાઓ બહારવટિયાઓની દિશામાં મારી મુક્યા. -----------------------------------              મદારસંગ ઘાયલ થયો તેથી આસપાસ જાનના સર્વ માણસો તથા આવેલ ગિસ્તના બે સવારો ફરી વળ્યાં.           આઠમનાં અજવાળાંમાં મદારસંગનું મુખ કેસરે જોયું. મદારસંગના મુખ પર હાસ્ય ફરક્યું, એ હાસ્ય જાણે કેસરને એમ કહેતું હોય કે પેલું સાચું રણ નહોતું પણ આ સાચું રણ છે અને એમાં ક્ષત્રિ તરીકે પોતે પ્રાણ આપ્યા છે.           દરબારને પ્રાણઘાતક ઘા લાગ્યો છે એ વિચારે રામજી ખુબ દુઃખી દેખાયો.           "મદારસંગ બાપુ ! આજે આપે અમારા માટે પ્રાણ આપ્યા છે."           મદારસંગ બોલી શક્યો નહીં પણ તેણે હાથથી વાત કરી કે એ તો વળાવીયા તરીકેની મેં મારી ફરજ બજાવી છે.          "હું તમારા કુટુંબનું જીવનાન્તે ભરણ-પોષણ કરીશ. બીજું કઈ કેહવું છે ?"             મદારસંગે આ વખતે આકાશમાં ખીલી ઉઠેલા ચંદ્રમાં તરફ જોયું - આંખો મીંચી અને તેમનો આત્મા પરલોક પહોંચી ગયો.   (પીપળીની ધારપરનો પાળિયો આજ પણ એ કાદૂના જમાનાની સાક્ષી પુરી રહ્યો છે, અને નીતિ ના રક્ષક તથા વફાદાર વળાવીયા મદારસંગ ચુડાસમાની શૌર્યભરી યાદ આપે છે.)    

કચ્છ નુ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ - નારાયણ સરોવર 

કચ્છ નુ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ - નારાયણ સરોવર    કોટેશ્વર મંદિર ભૂતકાળમાં, મંદિર લગભગ સંપૂર્ણ રીતે ભરતી ખાડીઓ દ્વારા મુખ્ય ભૂમિથી કાપી નાખવામાં આવતું હતું, પરંતુ હવે તે માર્ગ દ્વારા જોડાયેલ છે. કોટેશ્વર શિવ હિંગળાજ ખાતે રહેતા હિંગળાજ માતાનો ભૈરવ હોવાનું કહેવાય છે. સદ્ગુણ ભક્તોને હિંગળાજ માતાના દર્શન કર્યા પછી કોટેશ્વરની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.   આ સ્થળનો પ્રારંભિક ઉલ્લેખ ચીનના પ્રવાસી હ્યુએન-ત્સિયાંગના લેખનમાં મળી શકે છે. હ્યુએન-સિયાંગે તેનો ઉલ્લેખ "કિયે-ત્સી-શી-ફા-લો દેશના પશ્ચિમ સરહદ પર સિંધુ નદીની નજીક અને કચ્છના મહાન સમુદ્રમાં" સ્થિત છે. હીયુ-એન-સિયાંગના જણાવ્યા મુજબ, કોટેશ્વર બંદર સિંધુ નદીના મુખની સરહદમાં પાંચ માઇલનું અંતર હતું. તેમાં 80 મઠો હતા જેમાં મુખ્યત્વે સંમિત્ય શાખાના 5000 સાધુઓ હતા. આ પૂર્ણાહુતિની મધ્યમાં તેર મંદિરો હતા જેમાં મહેશ મંદિર સારા સ્મારકથી ભરેલું હતું અને જ્યાં રાખ-ગંધિત વિધર્મીઓ રહેતા હતા.    સાંભળ્યું છે કે , આ એક શિવલિંગના દર્શન અને કરોડ ગણું પુણ્ય ! પ્રાપ્ત થાઇ છે       કચ્છના લખપત તાલુકામાં કોટેશ્વર મહાદેવનું મંદિર વિદ્યમાન છે. દરિયાકિનારે સ્થાપિત આ મંદિરના સાનિધ્યે સતત ઘૂઘવતા દરિયાનો અવાજ પડઘાતો રહે છે. જેને સાંભળતા જ ભક્તોને સહેજે સોમનાથ અને રામેશ્વરના મંદિરોનું સ્મરણ થઈ આવે છે. અહીં ગર્ભગૃહની મધ્યે મહેશ્વનું અત્યંત સુંદર રૂપ પ્રસ્થાપિત થયું છે. આ મહાદેવ એટલે તો, ભક્તોને કોટિ આશિષ પ્રદાન કરતા ‘કોટેશ્વર’ મહાદેવ.   માન્યતા અનુસાર કોટેશ્વર મહાદેવના તો દર્શન માત્રથી ભક્તોને કરોડગણાં પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે, આ શિવલિંગ તો સ્વયં 33 કોટિ દેવતાઓ દ્વારા સ્થાપિત હોવાની માન્યતા છે. એટલું જ નહીં, કહે છે કે આ શિવલિંગ તો એ જ ધરા પર વિદ્યમાન છે, કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયું હતું. અને તે શિવલિંગ એટલે ‘આત્મલિંગ’ !   પ્રચલિત કથા અનુસાર અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા રાવણે દેવાધિદેવની ઘોર તપસ્યા કરી. મહાદેવે પ્રસન્ન થઈ સ્વયં તેમની જ આત્મામાંથી એક શિવલિંગ પ્રગટ કરી રાવણને આપ્યું. અને કહ્યું કે, “જ્યાં સુધી આ શિવલિંગ તારી સાથે હશે, ત્યાં સુધી તને કોઈ પરાસ્ત નહીં કરી શકે ! પણ હા, આ શિવલિંગ તું જે સ્થાન પર મુકીશ, ત્યાં જ તે સ્થાપિત થઈ જશે.”   કહે છે કે, આત્મલિંગ પ્રાપ્ત કરી રાવણ તો પ્રસન્ન થઈ ગયો. પણ, બીજી તરફ રાવણ અમર થઈ જશે તે ભયે દેવતાઓ ભયભીત થઈ ગયા. તેમણએ બ્રહ્મા અને વિષ્ણુને પ્રાર્થના કરી. કોટેશ્વરની કથા અનુસાર સ્વયં બ્રહ્માજીએ ગાયનું અને વિષ્ણુજીએ બ્રાહ્મણનું રૂપ ધર્યું. ગાય રૂપ બ્રહ્માજી કાદવના ખાડામાં ખૂંપી ગયા. જેવો રાવણ આત્મલિંગ લઈ કચ્છના આજના કોટેશ્વરમાં પહોંચ્યો, તે સાથે જ બ્રાહ્મણ રૂપી વિષ્ણુએ કાદવમાં ફસાયેલી ગાય કાઢવા રાવણની મદદ માંગી. અનિચ્છા છતાં ગૌહત્યાનું પાપ લાગવાના ડરે રાવણ મદદ માટે તૈયાર થયો. અનેક પ્રયાસ છતાં ગાય ન નીકળી ત્યારે રાવણે શિવલિંગ જમીન પર મૂકી દીધું. અને ત્યાં જ દેવતાઓની માયા સંકેલાઈ ગઈ.   રાવણ સમજી ગયો કે આ દેવતાઓની માયા છે. તે આત્મલિંગ લેવાં પહોંચ્યો, તો શિવજીએ ત્યાં એક જેવાં જ કરોડ શિવલિંગ ઉત્પન્ન કરી દીધાં. સાચું આત્મલિંગ કયું છે તે ન કળાતા, રાવણ આત્મલિંગ વિના જ લંકા પરત ફર્યો અને પછી શ્રીરામના હાથે તેનો વધ થયો. કહે છે કે રાવણના વધ બાદ શિવજીએ અહીંના કરોડ શિવલિંગ અદ્રશ્ય કરી દીધાં. પણ, શિવજીની જ કૃપાથી રાવણનો વધ શક્ય બન્યો હોઈ, સર્વ દેવી-દેવતાઓએ ભેગા થઈ આ ધરા પર શિવલિંગની સ્થાપના કરી.   આમ, કોટેશ્વર મહાદેવ એ તો સ્વયં દેવતાઓના હસ્તે સ્થાપિત હોવાની લોકવાયકાને લીધે જ શ્રદ્ધાળુઓને મન અહીં દર્શનનો સવિશેષ મહિમા છે.   વાંચન - લોકકથમાં મુલાકાત થી માહિતી શેર કરી છે.

પાંચાળ પ્રદેશ ના સંત શ્રી આપા જાદરા ના શિષ્ય સંત શિરોમણી શ્રી દાન બાપુ

પાંચાળ પ્રદેશ ના સંત શ્રી આપા જાદરા ના શિષ્ય સંત શિરોમણી શ્રી દાન બાપુ તો કાઠી સમાજ માટે પ્રગટ જ્યોત કહેવાય. અનેક નામી અનામી મરદ મુછાળા કાઠીઓ અને ક્ષત્રિયો જે શક્તિ અને પોતાની તલવાર સિવાય અન્ય કોઈ ને ના નમવાના આજીવન વ્રત ધારી હતાં એ પણ આપા દાના જેવા મહા પુરુષ સામે નતમસ્તક થતાં. વીર શિરોમણી શ્રી બાવા વાળા બાપુ હોય કે પછી કાઠી સમાજ માટે કાળ કહેવાતા દામાજીરાવ મરાઠા સરદાર હોય સૌ કોઈ દાન મહારાજ ના દરબાર મા નતમસ્તક થતાં. આપા દાના " રીજે તો બેડો પાર અને એમની આંતરડી દુભાય તો ધનોત પનોત નીકળી જાય" એમ કહેવાતું. દાન મહારાજ ના અનેક પરચા જગવિખ્યાત છે. પછી એ આડસર વધારવાનું કાર્ય હોય કે તુટેલી ડાળ વાવી ને પીપળો ઉગાડવાનું કાર્ય હોય. ગાયો ના દુષ્કાળ પાર ઉતારવા માટે રણ મા વીરડો ગાળવાનું કાર્ય હોય કે પછી સાધુ સંત ગરીબ દુબળા ને રામરોટી (ઘી ગોળ અને ભાત) આપવાની વાત હોય. સૌથી મોટો પરચો તો કાળજાળ બહારવટિયા વિસામણ નું મન પરિવર્તિત કરી પાળીયાદ ના પીર સંત શિરોમણી શ્રી વિસામણ બાપુનું નવજીવન કરવુ અને ગ્રામજનો નો ત્રાસ દૂર કરવો. માથામાં ભયંકર ઉંદરી ના રોગ ધરાવતી દિકરી નું માથું ચાટી ને રોગ મુકત કરવી. એ જમાના ના જગપ્રસિદ્ધ સંત શર્દુલ ભગત (પરબ) નો મદ ઉતારવા નું કામ. એક પરચો દાન મહારાજ ની જીવ માત્ર પ્રત્યે અપાર પ્રેમ અને કરુણા દર્શાવી જાય છે. ચલાળા ગામ માં બે સોની ભાઈ બાજુ બાજુ માં રહે પણ કોઇ કારણસર બંને વચ્ચે વેર અને ઈર્ષ્યા. નાના ભાઈ ના ઘરે સરસ મજાનો ઘોડો મજીયારી દીવાલે બાંધેલો. એ ઘોડો મોટા ભાઇ ની બાજુ ઊગેલ પાંદડા ખાવા જીભ લાંબી કરે. મોટા ભાઈ એ તરત તલવાર નો વાર કરી ઘોડા ની જીભ કાપી નાખી. ઘોડો તરફડવા લાગ્યો જાણે હમણાં પ્રાણ નીકળી જશે એવી સ્થિતિ થઈ ગઈ. નાનો ભાઈ આ પાપ જોઈ ના શક્યો. એણે આપા દાના ને સાદ કર્યો. ,"આપા હવે ઉગારજો." આપા યોગાનુયોગ ત્યાં પધાર્યા અને વસ્તુસ્થિતિ જાણી. ઘોડા ની પીડા જોઈ દ્રવી ગયા.કરુણા વશ કપાયેલી જીભ નો ટુકડો હાથ મા લઇ નાના ભાઈ ને કહે કે તું સોની છો ને રેણ કરતાં તો આવડે છે ને લે હું પકડું છું તું જીભ ને રેણ મારી દે. અને જોત જોતાંમાં ઘોડા ની જીભ પૂર્વવત્ થઈ ગઈ. ઘોડો આનંદથી આપા દાના ના પગ ચાટવા લાગ્યો. બંને ભાઈઓનું હંમેશ માટે સમાધાન કરાવી દાન મહારાજ જગ્યા મા પરત ફર્યા. આવા પરચા તો અપરંપાર છે. સંત શિરોમણી શ્રી દાન મહારાજ ની જય. જીવન માં એક વાર સમય લઈ ને ચલાલા જઈ શ્રી દાન મહારાજ ની પાવન જગ્યા ના દર્શન આપણી નવી પેઢીના બાળકો ને અવશ્ય કરાવવા. જેથી આપણી ભવ્ય સંસ્કૃતિ ની પિછાણ રહે. શ્રધ્ધા સાથે આજે પણ શ્રી દાન મહારાજ ની પ્રાર્થના કરતા ધાર્યા કામ થાય જ છે. જય જય જય શ્રી દાન બાપુ, ચલાલા.

વાગડના પ્રસિદ્ધિ : ઓઠાવારી રવેચી માતાજી

વાગડના પ્રસિદ્ધિ : ઓઠાવારી રવેચી માતાજી _________________________________         વાગડ વિસ્તાર એટલે અનેક સંતો મહંતો અને ધાર્મિક સ્થાનોનો પ્રદેશ છે જેમાં અનેક દેવીઓ શક્તિઓ સાધુ સંતો થઈ ગયા છે જેમાં આપણે આજે જાણીએ રાપર તાલુકામાં ભીમાસરના ઓઠાવારી રવેચી માતાજી વિશે જે ખુબ ઐતિહાસિક છે.અહીંયા વર્ષો પહેલા એક મીઠું ઝારું હતું તેના થડમાં માતાજી બિરાજમાન હતા તેમની સ્થાપના લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે ચારણો એ કરી છે તો કોઈ અહીંયા બિરાજમાન રવેચી માતાજીને વિકરણ નામના માતાજી હોવાનું ડુંગરજી નોઘાણી કહે છે તો એક લોકવાયકા પ્રમાણે ચારણોના કુળદેવી વરેખણ માતાજી હોવાનું કહે છે.પરંતું આપણે હાલે અહીંયા બધાજ વર્ષોથી રવેચી માતાજી તરીકે પૂજન કરે છે.   રવેચી માતાજીનું પ્રાગણ આશરે પચાસ એકરમાં ફેલાયેલું છે માતાજીના પ્રાગણમાં અનેક આઈ ચારણ સતીઓના પાળિયા આવેલા છે એમ કહેવાય છે કે પહેલાના સમયમાં અહીંયા ચારણોનો નેશ હતો જેમાં કાંટા શાખના ચારણો રહેતા હતા અને નજીકમાં વાવડી ખાતે વિકલ શાખના ચારણો રહેતા હતા તેમની વચ્ચે કોઈ કારણસર કજીયો થતાં અહીંયા ચારણોનું લોહી રેડાયું છે અને મોટા પ્રમાણમાં પાળિયા આજે પણ ઊભા છે તો એક લોકવાયકા પ્રમાણે અહીંયા ચારણો રહેતા હતા અને નજીકમાં એક ગેઢાવારો ટીંબો આવેલો છે ત્યાં સંધિઓ રહેતા હતા તેમની વચ્ચે ઝઘડો થયો તેમાં ચારણોના પાળિયા અહીંયા અને સામે સંધી મુસ્લિમની સમાધિઓ તે ટિંબામાં આવેલી છે.અહીંયા એક ઐતિહાસિક શિલાલેખ આવેલો છે તે માતાજીના પ્રાગણમાં આવેલ જૂના ઓરડામાં દીવાલમાં લગાવેલ હતો જે પડી જતા હાલે આ શિલાલેખને ત્યાં જ રક્ષિત રીતે બધાજ જોઈ શકે તેવી રીતે રાખવામાં આવેલ છે જેમાં આ જગ્યા વિશે માહિતી આપવામાં આવેલ છે જેમાં શ્રી સત્ શ્રી શ્રાવણ સુદ ૯ ને પછી વંચાતું નથી ત્યારબાદ મકવાણા મઘલું ભાણ ત્યારબાદ ગૌ પ્રતિપાળ મહારાવ શ્રી ગોડજી એવું વંચાય છે તેમજ ત્રૂટક ત્રૂટક ક્યાંક દેવલ શબ્દ વંચાય છે. આ લેખનું ભાષાંતર માટે પ્રયત્ન દલપતભાઈ દાણીધારિયા ભુજ પ્રાગમહેલ અર્કાઈવ્ઝ દ્વારા કરવામાં આવેલ છે.   ઓઠાવારી રવેચી માતાજી ની વર્ષોથી પૂજા અર્ચના વારસાગત કરતા વિનયગિરિ ભીખાપૂરી જણાવે છે કે આ જગ્યા ખુબ ઐતિહાસિક છે અહીંયા અનેક સાધુઓ તેમના તપ દ્વારા આ પવિત્ર ધરાને પાવન કરી છે.અહીંયા કાનકુંવર ગાયની સમાધિ આવેલી છે જે અપંગ હતી અને અહીંયા રહેતી હતી તે દેવ થતાં આજે મંદિરની બાજુમાં સમાધિ આપેલી છે.અહીંયા અતિસગર બાપુ મહાન સંત થઈ ગયા હતા તેમની પણ સમાધિ આવેલી છે. અતિસર બાપુ ખુબ ચમત્કારિક સંત હતા.જેઓ એ એક વખત ભંડારો કરેલ હતો ત્યારે તેમણે જમવાનું ખુટવા નહોતું દીધું એ આજે પણ લોકમુખે વાતો સંભળાય છે.બાપુ કુંભના મેળામાં ગયેલા અને પછી અહીંયા આવ્યા પછી બીમાર પડતા દેવ થઈ ગયા હતા.અતિસર બાપુ એ અહીંયા પુરાતન કૂવાને ખોદીને વાવ બનાવી છે જે આજે પણ મોજૂદ છે આ વાવને સમર્થ ટ્રસ્ટ અને રવેચી માતાજીના સેવકો દ્વારા વાવની સાફસફાઈ કરીને ઉપર ગ્રીલ મારીને સરસ રીતે જાણવણી કરી છે.રવેચી માતાજીના મંદિરમાં આવેલ મંગલ વિસાયંત્ર આવેલું છે તે તામ્રપત્રમાં છે ખૂબ જ જૂનું હોય એવું લાગે છે!   ઓઠાવારી રવેચી માતાજીના પ્રાગણમાં ભોજા ભરવાડની સમાધિ આવેલી છે. ભોજા ભરવાડની ગાયો માતાજી એ વારેલી હતી તેનું આજે પણ ગીત લોકમુખે ગવાય છે.આ ઉપરાંત ભૈરવ અને શિવ મંદિર અને હનુમાન મંદિર આવેલાં છે. સૌ પ્રથમ અહીંયા માતાજીનું સ્થાનક હતું. ત્યારબાદ તેમના ઉપર નળિયા વારુ માતાજીનું મઢ બનાવેલું હતું અને ત્યારબાદ જગદીશગિરિ બાપુના સમયમાં લોકફાળો કરીને રાજસ્થાનથી સલાટ બોલાવીને મોટું વિશાળ મંદિર બનાવેલું જે આજે પણ મોજૂદ છે.ઓઠાવારી રવેચી માતાજીનું પ્રાગણ ખુબ જ વિશાળ આવેલું છે.જેમાં પહેલા ખુબ જ મોટા પ્રમાણમાં મીઠા ઝારા અને વેણ નામના વૃક્ષો હતા તેમજ મીઠો બાવળ અને થોર, કુંવરપાઠું, આકળો (આકડો) તેમજ લીમડો અને ખેજડો જેવા અનેક દેશી વૃક્ષો હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગાંડો બાવળ ખુબ વધ્યો છે જેના કારણે સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. છેલ્લા સાત વર્ષથી અહીંયા એક રવેચી મિત્ર મંડળ ભીમાસરના પચાસ જેટલા યુવાનો ચલાવે છે જેમાં દર મહિનાની ચૌદશના વારાફરતી યુવાનો જમણવાર રાખે છે જેમાં સાદું ભોજન હોય છે અને બધાજ યુવાનો 100 રૂપિયા જમા કરાવે છે અને તે રૂપિયાથી અહીંયા અનેક નાના મોટા કામો સયુંકત રીતે કરવામાં આવે છે તેવું સમિતિના પ્રમુખ સુખદેવસિંહ મકવાણા એ જણાવ્યું છે.   ઓઠાવારી રવેચી માતાજીના પ્રાગણમાં આવેલા કોઈ વૃક્ષ કાપી શકાતું નથી એક વખત કોઈ લાકડા કાપીને લઈ ગયેલા તો પાછા મૂકવા આવેલાના દાખલા છે આવા તો અનેક માતાજી દ્વારા પરચા આપેલા છે.આ ઉપરાંત અહીંયા અનેક માતાજી એ પરચા આપેલા છે જેમાં એક પરચો એ છે કે માતાજીના મંદિર નજીકમાં એક ખેતરમાં ઘઉં વાવેલા હોય છે અને ત્યાંથી રસ્તો માતાજી એ જવાનો ચાલે છે ત્યાં દરોજ માતાજીનો ભક્ત દર્શન કરવા જતો હતો તેની એ ખેતર વારા વ્યક્તિ એ મશ્કરી કરેલી કે તું દરોજ માતાજી એ જશો દર્શન કરવા તારા માતા શું કહે છે? એવી મશ્કરી કરેલી ત્યારે માતાજીના ભક્ત દ્વારા જવાબ આપેલ કે માતાજી ને પૂછા કરીશ જે કહેશે તે આપ ને જણાવીશ એટલે પેલા દરોજ મશ્કરી કરતા એટલે ભક્ત એ માતાજી ને આજીજી કરી કે હે .. માતાજી હવે શું જવાબ આપું ત્યારે માતાજી એ કહેલું કે કાલે જવાબ આપજે કે માતાજી એ કીધું છે કે તું તારા ખેતરમાં વાવેલા ઘઉં નહિ ખાઈ શકે અને પેલા ભક્ત એ બીજા દિવસે જવાબ આપ્યો ત્યારે પેલા ભાઈ હસવા લાગ્યા કે ઘઉં પાકી ગયા છે હમણાં આ વચન ખોટું પડાવું ઍટલે તે ખેતરમાં જઈ ને એક ઘઉંનો પૂળો કાપીને તેમાંથી ઘઉં કાઢીને તેની પત્નિ ને કહે તું ઘેંટીમાં દળી નાખજે હું કુવે ડાભડો પાણીમાં નાખેલ છે તે કાઢતો આવું આ ડાભડો એ એક વનસ્પતિ છે ખડ જેવું હોય છે જેને કાપીને કૂવામાં અમુક મહિના પલાળીને પછી તેને વાટીને દોરી બનાવીને ખાટલા ભરવામાં આવતા અને દોરડા જેવું પણ બનાવવામાં આવતું હતું જે પાણીમાંથી કાઢવામાં આવે ત્યારે કૂવામાં જોવામાં આવતું નથી કારણકે અમુક મહિના સુધી અંદર પાણીમાં રહેવાથી એક પ્રકારનો ગેસ નીકળે છે જેના કારણે ગભરામણ થાય છે અને જો અંદર મોઢું હોય હોય અને આંખો ખુલી રહી જાય તો આંખો જતી રહે છે અથવા મૃત્યુ થાય છે આવા પહેલાના સમયમાં વાગડમાં અનેક દાખલાઓ છે.આવી જ રીતે તે ભાઈ કૂવામાં આ બાજુ ડાભડો કાઢ્યો અને મોઢું અંદર રહી જતા જેવો કાઢ્યો ત્યાંજ અંદર થી ગેસ નીકળતા ત્યાજ રામ રમી ગયા અને માતાજીના ભક્તનું વચન સાચું પડ્યું હતું.   ઓઠાવારી રવેચી માતાજી એ એક તળાવ આવેલું છે અને આસપાસમાં અનેક કુવાઓ આવેલા છે અને તળાવમાં હિલોળાલેતું પાણી અને વૃક્ષો ચારેબાજુ વૃક્ષોમાં પક્ષીઓનો કલરવ મનને પ્રફુલ્લિત કરી આપે છે.અહીંયા વૃક્ષોનું કાર્ય સંભાળતા વિરમજી પરમાર અને ગણેશજી પરમાર જણાવે છે કે એક નાનું એવું વન ઉભુ કરવામાં આવ્યું છે જેમાં અનેક અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે જેને છેલ્લા ચાર વર્ષથી નિયમિત સવારે આવીને સાફસફાઈ અને પાણી પાવામાં આવે છે ત્યારે આજે વૃક્ષો મોટા થયા છે આ વર્ષે તેમણે બીજા વૃક્ષો પણ વાવ્યા તેમની મહેનતને સો સો સલામ છે.   ઓઠાવારી રવેચી માતાજીના પ્રાગણમાં આવેલા પાળિયા પહેલા રાખના ઢગલા અને વૃક્ષોમાં દટાયેલા હતા ત્યારે આસપાસની વાડી વિસ્તારમાં આવેલા લોકો ભેગા થયા અને બધાજ લોકો એ સ્વેચ્છા એ એક એક પાળિયાને દત્તક લીધા અને તેમના પેઢલા ઓટલો કરી ને તેમની જાણવણી કરવામાં આવી છે.નવલા નોરતામાં અહીંયા માતાજીની વાડીની સ્થાપના કરવામાં આવે છે અને આઠમના વાડી વાઢવામાં આવે છે અને સામૂહિક જમણવાર રાખવામાં આવે છે અને અહીંયા હાલે મકવાણા શાખના રાજપૂત નોઘાણી, વજાણી, ભોપા શાખના તેમજ આસપાસના બારડ, સોઢા, પરમાર,રાજપૂતો તેમજ આસપાસના અઢારે જ્ઞાતિના દરેક લોકો ખુબ આસ્થા અને ભક્તિભાવ થી પૂજન અર્ચના કરે છે. આ જગ્યા હાલે મોમાઈમોરા જાગીરમાં આવે છે.   ઓઠાવારી રવેચી માતાજીની વર્ષોથી દરરોજ સવારે સાક્ષાત દેવીસ્વરૂપ માતાજી ભગવતીમાં આરતી કરે છે તેમના પિતાજી ડૂંગરજી રાજપૂત જણાવે છે કે ભગવતીબા ને નાનપણથી જ રવેચી માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે અને વર્ષોથી નિયમિત દરોજ સવારે માતાજીની આરતી નિયમિત પણે સાક્ષાત માતાજી સ્વરૂપ ભગવતી માતાજી કરે છે.  

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર સાથે જોડાયેલ ઇતિહાસ અને રહસ્ય..... મિત્રો,       આજે અમે તમને એક એવાં મંદિર વિશે વાત કરવાના છીએ જેને કેટલીયવાર લૂંટવામાં આવ્યું . ઘણા વિદેશી સત્તાઓને આ મંદિર તોડી પાડવાના નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જે અવારનવાર મંદિરના મિલકત લૂંટી લીધું, કારણ કે તે ઘણી વખત આ મંદિર નાશ કરવા દુષ્ટો પેદા એમ એમ એવા પવિત્ર આત્માઓનો જન્મ થયો. જેમને આ મંદિરનુ નિર્ણાણ કરવાં.   આજે અમે ભારતની ઇતિહાસમાં સૌથી રહસ્યમય અદ્ભુત અને આકર્ષક મંદિર, કે જે ઇતિહાસ વિશે તમામ ભારતીયો જાણવું જોઈએ વિશે કહી રહ્યા છે. મિત્રો, અમે સોમનાથ મંદિર વિશે વાત કરી રહ્યા છીએ જે એક હિન્દુ મંદિર છે.   સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 જ્યોતિલિંગ પૈકીનું. તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વેરાવળ બંદર પર દારિયાકિનારે આ બાંધવામાં આવ્યું હતું વિશે કહેવાય છે.   આ મંદિરનો ઉલ્લેખ ઋગ વેદમાં પણ થાય છે. આ મંદિર હિન્દુ ધર્મના ઉદય અને પતનનો પ્રતીક છે. અત્યંત ઉમદા હોવાના કારણે, આ મંદિર તૂટી ગયું અને ઇતિહાસમાં અનેક વખત પુનર્નિર્માણ થયું. ભારતની સ્વતંત્રતા નેતા સરદાર પટેલ દ્વારા બાંધવામાં આવ્યું . પછી 1 ડિસેમ્બર, 1995 ના રોજ, ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું.   સોમનાથ મંદિર વિશ્વની પ્રખ્યાત ધાર્મિક પર્યટન સ્થળ છે. મંદિરના પ્રાંગણમાં રાત્રે 7:30 થી સાંજના 8.30 વાગ્યા સુધી રોજ 1 કલાક સુધી લાઇટ દ્વારા સાઉન્ડ શો ચાલુ છે. જેમાં સોમનાથ મંદિર ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. લોકકથાઓ અનુસાર, અહીં ભગવાન કૃષ્ણએ તેનું શરીર છોડી દીધું. તેના કારણે આ વિસ્તારના મહત્વમાં વધુ વધારો થયો છે. હવે આપણે સોમનાથ મંદિર સાથે સંકળાયેલા પ્રાચીન રહસ્યો વિશે જાણીએ :   પ્રાચીન હિંદુ ગ્રંથો અનુસાર, સોમ એટ્લે ચંદ્ર,તેણે પ્રજાપતિ રાજા દક્ષિના 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમની તમામ પત્નીઓમાં તેઓ રોહિની નામની પત્નીને સૌથી વધુ પ્રેમ અને માન આપતા. બાકીની પત્નીઓ સાથે અન્યાય કરતાં હતા. આ જોઈને પ્રજાપતિ દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો જેના પરિણામે, બીજા દિવસે, ચંદ્ર દેવની તેજસ્વીતા ઘટતી ગઈ. શ્રાપથી છૂટા પડતા, ચંદ્ર દેવે ભગવાન શિવની ઉપાસના કરવાનું શરૂ કર્યું. ભગવાન શિવ ચંદ્ર દેવની ઉપાસનાથી ખુશ હતા અને ચંદ્ર દેવના શાપને એમાંથી ઉગાર્યા. . એવું કહેવાય છે કે ચંદ્રના શ્રાપ મુક્ત થવાથી ચંદ્રએ જે શિવલિંગની સ્થાપના કરી તે શિવલિંગ એટ્લે સોમનાથ. કારણકે આ શિવલિંગની સ્થાપના સોમ દ્વારા કરવામાં આવી હતી.   બીજી માન્યતા અનુસાર, ભગવાન કૃષ્ણ ભાલુકા તીર્થયાત્રા પર આરામ કરી રહ્યો હતો, માત્ર એક શિકારીએ તેમના પગના પગમાં તીર વાગ્યું. શિકારીને હરણની આંખ દેખાઈ એટ્લે તેને બાણ માર્યું. અને એ બાણ વાગ્યું કૃષ્ણના પગમાં ને કૃષ્ણે પ્રાણ ત્યાગ કર્યા. હતી અને તેને કપટથી ફટકાર્યો હતો. અહીંથી, ભગવાન કૃષ્ણએ તેમના શરીરનું બલિદાન આપ્યું, અને અહીંથી તે બાઈ કુન્દ્રા માટે ગયા. આ સ્થળે એક સુંદર કૃષ્ણ મંદિર પણ બાંધવામાં આવ્યું છે.એ જગ્યાએ આજે સુંદર ક્રુષ્ણ મંદિર પણ બાંધવામાં આવ્યું છે. પ્રાચીન ધાર્મિક ગ્રંથો અનુસાર, આ મંદિર ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ બૌદ્ધિક લોકો કોઈ પુરાણોમાં નથી માનતા અને આ મંદિરના નિર્માણનો ક્યાય ઉલ્લેખ નથી. તેથી આ મંદિરની મૂળ રચના અને તારીખ અજાણ છે. સોમનાથ મંદિર પ્રયા અવધિ દરમિયાન નાશ પામ્યું હતું અને તે ફરી બંધાઈ ગયું હતું. ગુજરાતના વેરાવળ બંદરમાં આવેલું, આ મંદિરની ભવ્યતા અને ખ્યાતિ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી. અરબ પ્રવાસી અલબ્રુનીએ તેના પ્રવાસ વિક્રાંતમાં તેનું વર્ણન કર્યું છે. જેના પર મહમુદ ઘજનબીએ 1024 માં સોમનાથ મંદિર પર હુમલો કર્યો. તેણે અહીંથી 2 મિલિયન ધન અને સોનું અને જવેરાત લૂંટી લીધા. અને શિવલિંગનો અડધો ભાગ પણ. આ પછી, 1300 સદીમાં અલાઉદ્દીનની સેના દ્વારા લૂંટવામાં આવ્યું ને આ મંદિર ત્યારબાદ પણ ઘણીવાર લૂંટવામાં આવ્યું ને મંદિર ખંડિત થઈ ગયું હતું.   એવું કહેવાય છે કે આગ્રાના કિલ્લામાં દેવ દ્વાર પર સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. એક ઉત્કૃષ્ટ શિલાલેખ અનુસાર, કુમારપાલે 1169 માં એક સુંદર પથ્થરમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું અને તેને અલંકારોથી શણગારેલું હતું. પાછળથી, 1299 માં, ઉલલખાને આગેવાની હેઠળની અલાઉદ્દીન ખિલજી સેનાએ વાઘેલા રાજવંશના કરણ દેવ બીજાને હરાવ્યો અને ફરીથી સોમનાથ મંદિરનો નાશ કર્યો. હસન નિઝામના તાજ અલ નાસીરના જણાવ્યા મુજબ, સુલતાને દાવો કર્યો કે તેણે તલવાર પર નરકમાં 50 હજાર લોકોને મોકલ્યા હતા અને 20 હજારથી વધુ ગુલામો બનાવ્યા હતા.   કાન્હા દેવ, જેલોરનો રાજા હતો, પાછળથી તેણે ખલિજીની સેનાને હરાવ્યો અને ટુકડા પાડીને શિવલિંગને પાછો ખેંચી લાવ્યો. અને તમામ કેદીઓને મુક્ત કર્યા. 1395 માં એવું કહેવામાં આવ્યું છે કે આ મંદિર ફરીથી નાશ પામ્યું હતું. અને 1491 માં, ગુજરાતના સુલ્તાન મહેમુદ બેગડાએ પણ આ મંદિર ફરી લૂંટી ધ્વંસ કર્યું. . 1546 એ.ડી.માં ગોવામાં સ્થિત પોર્ટુગીઝોએ સોમનાથમાં બંદર અને ગુજરાતના નગર પર હુમલો કર્યો અને ઘણા મંદિરોનો નાશ કર્યો. તેમાં સોમનાથ મંદિર પણ એક હતું. હાલમાં, ભારતની સ્વતંત્રતા પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું.   સોમનાથ મંદિરના દક્ષિણમાં દરિયાની કિનારા પર એક આધારસ્તંભ છે. સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવની વચ્ચે પૃથ્વી પર કોઈ જમીન નથી એવું એક યાદીમાં સૂચવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંદિરના શિખરમાં સ્થિત પ્રાચીન મંદિર પાર્વતી જીનું મંદિર છે.   સોમનાથ મંદિરનું સંચાલન અને વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ હેઠળ છે. સરકારે બગીચાના બગીચાઓમાં ટ્રસ્ટને જમીન આપીને આવકની વ્યવસ્થા કરી છે. તે પણ નાગાયન બાલી યાત્રાધાગ સાથે તીર્થયાત્રા માટે પ્રસિદ્ધ છે. ચૈત્ર, ભાદરવો , કાર્તિક મહિનાઓમાં સ્નાનનું મહત્વ કહેવામાં આવ્યું છે. અહીં ત્રણ મહિનામાં ભક્તોની વિશાળ ભીડ જોવા મળે છે.   આ ઉપરાંત, 3 નદીઓ, હરણ, કપિલ અને સરસ્વતી છે. આ ત્રિવેણી સ્નાન ખાસ મહત્વ ધરાવે છે. સોમનાથ મંદિર સમયમાં ઈશ્વરના 5 અન્ય મંદિર ભગવાન શિવને 135, વિષ્ણુ 5, 25 દેવી, સૂર્ય દેવ 16, ગણેશ, સાપની મંદિર 1, હતી, સામાન્ય જન મંદિર 1, 19 હોલ અને 9 નદીઓ વહી રહી છે.   મહમુદના હુમલા પછી 21 મંદિરો બાંધવામાં આવેલા શિલાલેખમાં એક નિવેદન છે. આ પછી ઘણા બધા મંદિરો બાંધવામાં આવશે. ચાર ધમ પૈકીનો એક ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા, સોમનાથથી 200 કિલોમીટરના અંતરે આવેલું છે. દરરોજ દ્વારકાધીશકની મુલાકાત લેવા માટે અહીં હજારો અને હજારો વિદેશીઓ આવે છે. ગોમતી નદી ખાસ કરીને સૂર્યાસ્ત સમયે નીચે સૂર્યોદય નદીથી પાણી પર સ્નાન ભૂમિઓ મહત્વ ઉલ્લેખ આવે છે.   વિશ્વનું પ્રખ્યાત સોમનાથ મંદિર અનંત છે.આ મંદિરની ભવ્યતા આજે પણ અકબંધ છે. જે બતાવે છે કે જીત હંમેશા સત્યની જ થાઈ છે.

હરસિધ્ધિ માતા

વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ ગામ ગાંધવી અને મિયાણી જ્યાં કોયલા ડુંગર પર બિરાજે છે કોયલા ડુંગર ની મહારાણી માં ભવાની હરસિધ્ધિ. આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને ખંભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે. વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે. કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે. આ મંદિર નહી કોઇ પણ મંદિર ની આરતી જોઇએ તો બધા શ્રધ્ધાળુઓ એક તાલ માં એક લય માં તાળી ઓ વગાડતા હોય છે અને લીન થઇ જતા હોય છે એટલે એમ કહી શકાય કે અલગ-અલગ પ્રદેશ થી આવતા શ્રધ્ધાળુઓ કે જેમની માનસિક્તા ,નાત-જાત, રહેણી-કરણી બધુ અલગ છે પરંતુ તે બધા ને એક લય એલ તાલ અને એલ બિંદુ પર કેંદ્રિત કરતું તત્વ એટલે ઇશ્વર. ત્યાં નાત-જાત, ઊંચ-નીચ, રંગ-વર્ણ નો કોઇ ભેદ નથી હોતો, હોય છે તો માત્ર મનુષ્યો. એથી પણ આગળ વધી ને કહું, તો હોય છે એ બ્રહ્માંડ ભાંડોદરી પરાશક્તિ ના બધા સંતાનો. આ પર થી મને ઋગ્વેદ ની એક ઋચા યાદ આવી ગઇ.  

કાપડી:મહંતશ્રી:1008.મહામંડલેશ્વર.મુળજીડાડા.ઘ્રન્ગ.તા:જી:ભુજ (કચ્છ )

ગુજરાત ની ભુમી પર સેવાનો ભેખ લઇ ઘણા  સંતો થઇ ગયા જેમણે બીમાર, ગરીબ, પશુપંખી ની સેવા માં જીવન વીતાવી માનવતા નુ કાર્ય કરેલુ છે. આવાજ એક સંત શ્રી મેકણજી એ ગીરનારી સંતો ની આજ્ઞા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. અંહિ ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા.શ્રી મેકણજી મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે મેકાપંથી નામે ઓળખાય છે. કાપડી સંતો નું મુળ સ્થાન ક્ચ્છમાં રહેલું છે. શ્રી લક્ષમણજી થી કચ્છના આ પંથ ના આદિ પુરુષ શ્રી જસારાજા ને ભેખ મળેલો, તેમની પરંપરા માં શ્રી ગંગારાજા થયા અને તેમના શિષ્ય શ્રી મેકણજી મહાન સંત થયા. સંપ્રદાયો ના તાણા વાણા થી દુર રહી તેમણે તેમનું જીવન પ્રાણી માત્ર ની મહાન સેવા ના માર્ગે પુર્ણ કર્યુ. સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે જીવતા સમાધી લિધી. તેમની સાથે ૧૧ ભક્તો એ પણ સમાધી લીધી. લાલદાસ અને મોતીરામ નામના પશુ એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. આ પરંપરા માં સૌરાષ્ટ્ર ગુજરત માં કાપડી સંતો ના ઘણા સ્થાન આવેલા છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે.   ભાટ્ટી રાજપુત કુળમાં કચ્છના સંતમેકરણ ડાડાએ જન્મ ધારણ કરીને કચ્છનાં રણમાં ભટકેલા યાત્રિકોને અન્ન અને જળ આપીને સેવા કરી અને તેઓ અગિયાર ભક્તો સાથે વિ.સં.૧૭૮૬ ચૈત્ર વદી-૧૪ શનિવાર તા.૦૧-૦૪-૧૭૩૦ એ જીવતાં સમાધિ લીધી. (૧) ગિરનારી સંત મયાગરજી (ર) માતા લીરબાઈ (૩) કાંધા આહીર (૪) વીઘા આહીર (પ) કાંથડ સુથાર (૬) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) (૭) સાધુ સુંદરદાસજી (૮) ઠાકોર મોકાજી (બૈયાં) (૯) જાડા ખીંયરાંજી લેરિયા (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી (૧) હીરો/ગરવો હરિજન (લોડાઈમાં) (ર) વાઘોજી રામપોતરો (વિજયાસર).  

ગોંડલીયા:મહંતશ્રી:1008 મહામંડલેશ્વર.શ્રીસીતારામબાપુ.ગોંડલ.જિલ્લો:રાજકોટ

શ્રી લોહંલગરીબાપુ: શ્રી ગુરૂ રામાનંદજી ના ૧૨ મુખ્ય શિષ્યો માં પ્રથમ શિષ્ય શ્રી અનંતાનંદજી ની પરંપરા માં તેમનાં જ શિષ્ય ક્રૂષ્ણદાસજી પયહારી કે જે પયહારીબાબા તરીકે ઓળખાય છે. તે ગલતાગાદી (જયપુર) માં થયા. પયહારી બાબા ના શિષ્ય સમુદાય માં મુખ્યત્વે કિલ્હદાસજી, અગ્રદાસજી વિગેરે ૨૪ સંતો હતા, જેમા કિલ્હદાસજી ના શિષ્યો  દેવમુરારી દ્વારા ના કહેવાય છે. શ્રી દેવમુરારીજી ના લોહંગજી નામના શિષ્યે પર્યટન માં વિચરતા ગોંડલ આવ્યા અને ત્યાં જગ્યા બાંધી તેમની પરંપરા ના સંતો ગોંડલીયા કહેવાયા. ગોંડલમાં ગુરૂ લોહંગજી મહારાજ કે જેમનું પુરું નામ શ્રી જીવણદાસજી લોહંલગરી હતું તેમના શીષ્ય પરિવાર માં શ્રી રામદાસજી નો પરિવાર ગોંડલ ના સ્થાન પર છે. મહાત્મા મુળદાસજી એ અમરેલી માં જગ્યા સ્થાપી. શ્રી નથુરામજી એ ખંભળિયા (શેલ) માં જગ્યા સ્થાપી. શ્રી ભાવદાસજી એ ધોલેરા માં જગ્યા સ્થાપેલ છે. આ સીવાય નારણદાસજી, અમરદાસજી, વાલદાસજી, રામદાસજી, ધ્યાનદાસજી વીગેરે ૨૬ સંતો  હતા જેમણે આ પરંપરા માં સૌરાષ્ટ્ર માં જુદા જુદા સ્થળે જગ્યા સ્થાપના કરેલી.આ પરંપરામાં પોતાનાં ગુરુસ્થાનો માં કર નૈવૈદ વિગેરે વિધિ થાય છે. પરંતુ આધ્યગુરૂ સ્થાન ગોંડલ મુકામે છે.   

દાણીધાર ધામ:1008 મહામંડલેશ્વર મહંતશ્રી:સુખદેવબાપુ.તા:કાલાવડ.જિલ્લો:અમરેલી

 શ્રી ગુરુ રામાનંદ સ્વામહામંડલેશ્વર મી ના ૧૨ મુખ્ય શિષ્યો માં અનંતાનંદજી નાં શિષ્ય સમુદાયમાં ૭ મુખ્ય શિષ્યો તુંહિરામ શિષ્ય સમુદાય માં શ્રી નાથજી બાપું એ દાણીધાર માં ગાદી સ્થાપી. તે પરંપરાં નાં સંતો દાણીધારીયા શાખા થી ઓળખાયા. તેઓ તેનુજી દ્વારા ના છે અને રામાવત વૈષ્ણવ છે. સાધુ સમજમા દાણીધારીયા સમાજ માટે ગુરૂ સ્થાન દાણીધાર આવેલુ છે. આ દાણીધાર  ની જગ્યા કાલાવાડ થી ૧૪ કિલોમીટર દુર છે. તેની નજીક નુ ગામ ટોડા તથા બામણગામ છે.(ધોરાજી ઉપલેટા રોડ, કાલાવાડ તાલુકો) મુખ્ય સમધી શ્રી નાથજી બાપુ ની છે. શ્રી ગંગારામ બાપુ નો ધુણો તથા મોતીરામ નામનાં કુતરા ની સમાધી છે.  

દેશાણી:મહંતશ્રી રસીકબાપુ દેશાણી .ગરણી ધામ.તા:બાબરા.જિલ્લો:અમરેલી

શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા. સંત શ્રી દેશળજી જેમણે સવંત ૧૭૦૨ ની સાલ મા ગરણી ગામે ગાદી સ્થાપી.શ્રી દેશાણી,શ્રી વાઘાણી અને શ્રી આશાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને તેઓ રામાવત વૈષ્ણવ છે.     

મેસવાણીયા:મહંતશ્રી.1008 મહામંડલેશ્વર.હરકિશનદાસજીબાપુ.મેસવાણ.તા:કેશોદ.જિલ્લો:જૂનાગઢ

શ્રી ગુરુ રામાનંદજી ના સમર્થ શિષ્ય પીપાજીમહારાજ ની પરંપરામાં શ્રી પીપાજી મહારાજ પ્રથમ પુર્વાશ્રમ્મા તેઓ શક્તિ ઉપસક હતા. પછી તેઓ એ વૈષ્ણવી દીક્ષા લીધી. તેઓ સમર્થ સંતો માં ગણાય છે. તેઓ દ્વાર પ્રવર્તક સંત હતા. તેમની પરંપરા માં સંત પીપાજી ના શીષ્ય મુલકાદાસજી, તેમના શીષ્ય નરસંગદાસજી, તેમના શીષ્ય રામદાસજી, તેમના શીષ્ય ભગવાનદસજી, તેમના શીષ્ય ક્રુષ્ણદાસજી, તેમના શીષ્ય બાલકદાસજી જેવા સંત થયા.શ્રી બાલક્દાસજી મહરાજે સોરઠ માં મેસવાણા ગામે ગાદી શસ્થાપી. તેમની પરંપરામાં સંતો મેસવાણીયા શાખા થી ઓળખાય છે. રાજસ્થાન ના ચિત્તોડગઢ ના ક્ષત્રિય રાજકુળ માં સવંત ૧૩૫૦ ના માગશર સુદ પુર્ણિમા ના રોજ એક તેજસ્વી રાજકુમાર નો જન્મ થયો. આ રાજકુમાર નું નામ બલભદ્રસિંહ રાખવા માં આવ્યુ હતુ. રાજકુમાર બલભદ્રસિંહ ની અંદર એક વૈરાગી જીવાત્મા હતો. તેથી પોતાનું વૈભવી રાજમહેલ નુ સુખ છોડી ગુરૂ ની શોધ માં ફરતા ફરતા કાશી પંહોચ્યા . કાશી માં શ્રી રામાનંદ્જી ની પરંપરા ના ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામી ના દર્શન થયા. ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામીજી એ બલભદ્રસિંહજી ને દીક્ષા આપી રામમંત્ર નો ઉપદેશ આપ્યો. શ્રી બલભદ્રસિંહજી ને ગુરુજી એ નવું નામ આપ્યુ શ્રી બાલક્સ્વામી, જેમને આપણે શ્રી બાલક્દાસ બાપુ તરીકે ઓળ્ખીયે છીયે. શ્રી બાલકસ્વામીજી કાશી માં યોગવીદ્યા તથા ધર્મશાસ્ત્ર નો અભ્યાસ પુર્ણ કરી ને ધર્મ પ્રચાર તથા પર્યટન કરવા નીકળ્યા. માનસરોવર તથા ઉત્તરભારત ની યાત્રા પુર્ણ કરી તેઓ ગીરનાર તરફ આવ્યા. ગીરનાર ના બીલીવન માં ૧૨ વરસ તપ કર્યુ. આ તપ થી પ્રસન્ન થઈ શ્રી દતાત્રેય ભગવાને દર્શન આપ્યા તથા આશીર્વાદ આપી આજ્ઞા આપી કે નોલી નદી ને કાંઠે લુપ્ત થયેલ મિહિર ઋષિ નો આશ્રમ ફરી આબાદ કરો. આમ શ્રી દતાત્રેય ભગવાન નો આદેશ લઈ શ્રી બાલકસ્વામીજી આજના જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકા ના મેસવાણ ગામે પધાર્યા. શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૦૦ ના પ્રથમ વર્ષ માં લુપ્ત થયેલો મિહિર ઋષિ ના આશ્રઅમ પુનઃ પ્રતિષ્ઠીત કર્યો અને ત્યાં મેસવાણ નામે ગામ વસાવ્યું. શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૧૧ ની સાલ માં પોતાનાં શિષ્યો ને આજ્ઞા આપી એક મોટા ભંડારા નું આયોજન કરવા કહ્યું. તેમાં હજારો સાધુ-સંતો ને બોલાવવામાં આવ્યા. આ સાધુસંતો ની હાજરી માં શ્રી બાલકસ્વામીજી એ એક કુંભાર બાળા તથા એક શ્વાન સાથે યોગ સમાધી લીધી. એવુ જાણવા મળે છે કે શ્રી બાલકસ્વામીજી એ અલગ અલગ છ જગ્યાએ યોગ સમાધી લિધેલ છે.તેઓ પીપાજી દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે. શ્રી બાલકસ્વામીજી ની વીરક્ત શીષ્ય પરંપરા પછી ગુહસ્થ શીષ્ય પરંપરા હાલ ચાલુ છે. શ્રી બાલકસ્વામીજી ની પરંપરા ના સંતો મેસવાણીયા તરીકે ઓળખાય છે. મેસવાણીયા શાખા ના સંતો માટે નું આ ગુરૂસ્થાન છે.     

દુધરેજીયા:મહંતશ્રી:1008.મહામંડલેશ્વરકનીરામબાપુ.મુ:દુધરેજ:તા:વઢવાણ.જિલ્લો:સુરેન્દ્રનગર

શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદાસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો. વીક્રમ સવંત ૧૬૬૮ ના અષાઢ માસ ની પુર્ણિમા અને ગુરૂવાર ના દીવસે  મહારાજા યોગરાજ ને ઘરે પુત્ર નો જન્મ થયો તેમનું નામ સામંતસિંહ રાખવા માં આવેલુ. તેમના માતા નું નામ મહારાણી ગંગાદેવી હતું. આ સામંતસિંહ એજ શ્રી ષટ્પ્રજ્ઞસ્વામીજી. શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામિજી મહા સમર્થ આચાર્ય થયા. સવંત ૧૫૯૫ માં દુધરેજ આશ્રમ ની સ્થાપના યોગીરાજ નિલકંઠ આચર્યે કરેલી. આ સમયે ગોંડ્લ મુકામે સવંત ૧૬૨૫ માં પોતે સ્થાપેલા આશ્રમ માં આચર્ય લોહંગજી વિધ્યમાન હતા. ગોંડલ અને દુધરેજ આ બન્ને આચાર્યો વચ્ચે અતિ હેત પ્રીત અને સ્નેહ નીકટ્ત્તમ ભાવના હતી. એમની યદગીરીરૂપે એકજ દાણની ચીરમાંથી બન્ને આચર્યો એ પોત્તપોતાના સ્થાન માં દાતણની એક એક ચીર રોપેલી આ બન્ને વટ્વ્રુક્ષો આજે પણ ગોંડલ અને દુધરેજ મા હસ્તિ ધરવે છે.શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામી નો દુધરેજ ની આચર્ય ની ગાદી પર નો સમય ૧૬૯૦ થી ૧૭૮૬ એટલે કે ૯૬ વર્ષ સુધી નો હતો. શ્રી વડવાળા મંદીર સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા માં સુરેન્દ્રનગર થી પાંચ કીલોમીટર નાઅંતરે દુધરેજ ગામે આવેલું છે.આ મંદિરની દક્ષિણ દિશાને અડીને ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજી થી આરંભ અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્ત ગણાતી સમાધીઓ આવેલી છે. આજે પણ શ્રી  ષટપ્રજ્ઞસ્વામી  નો  બેરખો  દુધરેજ ની જગ્યા માં છે , જે બેરખા નો ઉપયોગ  સ્વામીજી મંત્ર જાપ કરવા માં કરતા હતા. આ બેરખા ને છાશ માં પલાળી ને તે છાશ ને ધુપ દઈ પિવડાવવા માં આવે તો  સાપ નુ અને હડકાયા કુતરા નુ ઝેર ઉતરી જાય છે.    

સરપદડીયા:મહંતશ્રી:1008.મહામંડલેશ્વરભૂપતબાપુ સરપદડીયા.મુ:સરપદડ.તા:પડધરી.જિલ્લો:રાજકોટ

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં  મુખ્ય કિલ્હદાસજી ની  પરંપરામાં  જોગવાનજી સંત દ્વારા પ્રવર્તક થયા. જેથી જોગવાનજી  શિષ્ય પરંપરા ત્યારથી  જોગવાનજી દ્વારા થી ઓળખાય છે. જોગવાનજી મહારાજ ની પરંપરા માં તુલસીદાસજી– ->તેમના શિષ્ય રામકુબેરદાસજી —>તેમના શિષ્ય રામમનોહરદાસજી —>તેમના શિષ્ય શ્યામદાસજી —>તેમના શિષ્ય દયળદાસજી —>અને તેમના શિષ્ય રામદાસજી (શ્યામદાસજી) મહારાજે સૌરાષ્ટ્ર યાત્રા વખતે લીંબડી બાજુનાં બરોલ ગામે ગાદી સ્થપી અને તેમની પરંપરા નાં સંતો ત્યારથી બરોલીયા શાખાથી   

બરોલીયા :મહંતશ્રી રમેશબાપુ કાપડી,તા:લીંબડી.જિલ્લો:સુરેન્દ્રનગર

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં  મુખ્ય કિલ્હદાસજી ની  પરંપરામાં  જોગવાનજી સંત દ્વારા પ્રવર્તક થયા. જેથી જોગવાનજી  શિષ્ય પરંપરા ત્યારથી  જોગવાનજી દ્વારા થી ઓળખાય છે. જોગવાનજી મહારાજ ની પરંપરા માં તુલસીદાસજી– ->તેમના શિષ્ય રામકુબેરદાસજી —>તેમના શિષ્ય રામમનોહરદાસજી —>તેમના શિષ્ય શ્યામદાસજી —>તેમના શિષ્ય દયળદાસજી —>અને તેમના શિષ્ય રામદાસજી (શ્યામદાસજી) મહારાજે સૌરાષ્ટ્ર યાત્રા વખતે લીંબડી બાજુનાં બરોલ ગામે ગાદી સ્થપી અને તેમની પરંપરા નાં સંતો ત્યારથી બરોલીયા શાખાથી   

રામકબીર:કમીજડા.તા:લખતર:જિલ્લો:સુરેન્દ્રનગર

શ્રી રામાનંદ આચાર્ય ની પરંપરા માં રાજસ્થાન માં સંતો ના ૪ સંપ્રદાયો મુખ્યત્વે વિકાસ પામ્યા હતા. (૧) દાદુ પંથી (૨) નિરંજની (૩) રામસ્નેહિ – શાહપુર શાખા (૪) રામસ્નેહિ – સિંહલ શાખા. આમાં દાદુપંથી કબીરજી ના પુત્ર કમાલ ના શિષ્ય દાદુ થી વીસ્તાર પામી હતી. નીરંજન શાખા ના પ્રવર્તક સંત હરીદાસજી સોળમી સદી ના મધ્ય થી સત્તરમી સદીના મધ્ય સુધી ના સમયમાં થયેલ, જેમની મુખ્ય શાખા જોધપુર માં છે. રામસ્નેહી શાખા શાહ્પુર ના પ્રવર્તક શ્રી રામચણદાસજી નો જન્મ સવંત ૧૭૭૬ અને નીર્વાણ ૧૮૫૫ ની સાલ માં થયેલ તેમના ૨૨૫ જેટલા સમર્થ શીષ્યો હતા. વૈષ્ણવાચાર્ય શ્રી રામક્રુષ્ણ્દાસજી પાસેથી તેમણે વૈષ્ણવી દીક્ષા  લિધી હતી. સવંત ૧૮૦૮ માં એક ગુફા માં પચીસ વર્ષ સુધી તપ- ભજન કરેલ અને તપ માં થી બહાર આવ્યા ત્યારે શાહપુર નરેશ તેમને શાહપુર તેડી ગયા અને ત્યાં સ્થાન બંધ્યુ અને રામસ્નેહિ સંપ્રદાય ની સ્થાપના કરી. રામસ્નેહિ શાખા સિંથલ નાં મુખ્ય પ્રવર્તક સંત શ્રી હરિરમજી બીકાનેર બાજુમાં સિંહથલ ગામે થયા વૈષ્ણ્વાચર્ય શ્રી જૈમલદાસજી પાસેથી વૈષ્ણવી દીક્ષા સવંત ૧૭૦૦ માં લીધી અને ૧૮૩૫ માં નેર્વાણ પામ્યા. તેમણે રામસ્નેહિ સંપ્રદાય ની બીજી શાખા સિંહથલ માં સ્થાપી. ઉપરોક્ત બંને રામસ્નેહિ શાખાના અત્યારે ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ માં ઘણાં સ્થાન આવેલાં છે.રામસ્નેહિ સંપ્રદાય ની બન્ને શખાઓ ના સંતો રામસ્નેહિ શાખા થી ઓળખાય છે. તેઓ રામસ્નેહિ સંપ્રદાય ના રામાવત વૈષ્ણ્વ છે.     

રામસ્નેહી:શાહપુર,જિલ્લો:બિકાનેર.રાજસ્થાન

શ્રી રામાનંદ આચાર્ય ની પરંપરા માં રાજસ્થાન માં સંતો ના ૪ સંપ્રદાયો મુખ્યત્વે વિકાસ પામ્યા હતા. (૧) દાદુ પંથી (૨) નિરંજની (૩) રામસ્નેહિ – શાહપુર શાખા (૪) રામસ્નેહિ – સિંહલ શાખા. આમાં દાદુપંથી કબીરજી ના પુત્ર કમાલ ના શિષ્ય દાદુ થી વીસ્તાર પામી હતી. નીરંજન શાખા ના પ્રવર્તક સંત હરીદાસજી સોળમી સદી ના મધ્ય થી સત્તરમી સદીના મધ્ય સુધી ના સમયમાં થયેલ, જેમની મુખ્ય શાખા જોધપુર માં છે. રામસ્નેહી શાખા શાહ્પુર ના પ્રવર્તક શ્રી રામચણદાસજી નો જન્મ સવંત ૧૭૭૬ અને નીર્વાણ ૧૮૫૫ ની સાલ માં થયેલ તેમના ૨૨૫ જેટલા સમર્થ શીષ્યો હતા. વૈષ્ણવાચાર્ય શ્રી રામક્રુષ્ણ્દાસજી પાસેથી તેમણે વૈષ્ણવી દીક્ષા  લિધી હતી. સવંત ૧૮૦૮ માં એક ગુફા માં પચીસ વર્ષ સુધી તપ- ભજન કરેલ અને તપ માં થી બહાર આવ્યા ત્યારે શાહપુર નરેશ તેમને શાહપુર તેડી ગયા અને ત્યાં સ્થાન બંધ્યુ અને રામસ્નેહિ સંપ્રદાય ની સ્થાપના કરી. રામસ્નેહિ શાખા સિંથલ નાં મુખ્ય પ્રવર્તક સંત શ્રી હરિરમજી બીકાનેર બાજુમાં સિંહથલ ગામે થયા વૈષ્ણ્વાચર્ય શ્રી જૈમલદાસજી પાસેથી વૈષ્ણવી દીક્ષા સવંત ૧૭૦૦ માં લીધી અને ૧૮૩૫ માં નેર્વાણ પામ્યા. તેમણે રામસ્નેહિ સંપ્રદાય ની બીજી શાખા સિંહથલ માં સ્થાપી. ઉપરોક્ત બંને રામસ્નેહિ શાખાના અત્યારે ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ માં ઘણાં સ્થાન આવેલાં છે.રામસ્નેહિ સંપ્રદાય ની બન્ને શખાઓ ના સંતો રામસ્નેહિ શાખા થી ઓળખાય છે. તેઓ રામસ્નેહિ સંપ્રદાય ના રામાવત વૈષ્ણ્વ છે.     

રામદેવપુત્રા:શ્રી શ્રી 1008 મહામંડલેશ્ર્વર જયદેવ બાપુ રામદેવપૂત્રમ્ રામાપીર ની જગ્યા રંગપુર (ભાલ) તા.ધંધુકા ,જિલ્લો .અમદાવાદ

રામદેવપુત્રા શાખા નું મુળસ્થાન રાજસ્થાન માં આવેલું છે. જેમને ભગવાન નો અવતાર માનવામાં આવે છે તેઓ શ્રી રામદેવજી મહારાજ ની ભક્તિ પરંપરા માં શ્રી શ્યામદાસજી મહારાજ મહા સમર્થ સંત થઇ ગયા. ભક્તિ પ્રચાર અને તિર્થયાત્રા માટે તેઓ સૌરાષ્ટ્ર પધારેલા અને ભક્તો ના આગ્રહ થી ધંધુકા બાજુમાં રંગપુર ગામે ગાદી સ્થાપી. તેમની શિષ્યપરંપરા ના સંતોએ પણ ઘણી જગ્યાએ આશ્રમ સ્થાપેલ છે. આ પરંપરા મારવાડી ભાષા ના શબ્દ  “રામદેવ પોતરા” ઉપર થી આજે શબ્દ બદલાઇ ને રામદેપૂત્રા તરીકે ઓળખાઇ રહી છે.  

સેંજળ.તા:સાવરકુંડલા.જિલ્લો:અમરેલી

ચાંપબાઈ સાધુ શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો. એક માહિતી પ્રમાણે મહારાજા શ્રી યોગરાજસિંહ ને પાંચ પુત્રો હતા અને એક પુત્રી હતી પુત્રી નું નામ ચંપાબા હતું પાંચ પુત્રો નાં નામ હતા સામંતસિંહ, અમરસિંહ, અજયસિંહ, મંગળજી અને મેળાજી. તેમાં સામંતસિંહજી એ રામમંત્ર ની દિક્ષા લીધી અને તે  ષટપ્રજ્ઞસ્વામી તરીકે ઓળખાયા. અને તેમના બહેન ચંપાબા ચાંપબાઈ તરીકે ઓળખાયા.શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી ના બહેન શ્રી ચાંપબાઇ બહેન મહાન રામભક્ત હતા. સહુ સંતો ની શુભેચ્છા થી તેમણે ચુલી ગામે આશ્રમ સ્થાપ્યો. તેમની શિષ્ય પરંપરા ના સંતો ત્યારથી ચાંપબાઇ બહેન ની શાખા થી ઓળખય છે. તેઓ પદ્મનાભ દ્વારાના છે અને (રામ કબીર) રામવત વૈશ્ણ્વ છે. બીજી એક માહિતી પ્રમાણે શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી ફરતા ફરતા ચુલી ગામે આવ્યાં ત્યા ચંપાબાઈ નામે એક ક્ષત્રીયાણી રહેતા હતા. તેઓ સ્વામીજી ના દર્શને આવ્યા અને સ્વામીજી ને વીનંતી કરી કે મને રામ મંત્ર ની દીક્ષા આપો.આમ ચંપાબાઈ એ ચુલી મા આશ્રમ સ્થાપ્યો અને તેમના શીષ્યો ચાંપબાઈ સાધુ તરીકે ઓળખાયા. ચુલી ગામ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલું છે.   

શ્રી ચાંપબાઇ ધામ ચુલી મહંત શ્રી સાધુ પ્રભુદાસ મોહનદાસ

ચાંપબાઈ સાધુ શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો. એક માહિતી પ્રમાણે મહારાજા શ્રી યોગરાજસિંહ ને પાંચ પુત્રો હતા અને એક પુત્રી હતી પુત્રી નું નામ ચંપાબા હતું પાંચ પુત્રો નાં નામ હતા સામંતસિંહ, અમરસિંહ, અજયસિંહ, મંગળજી અને મેળાજી. તેમાં સામંતસિંહજી એ રામમંત્ર ની દિક્ષા લીધી અને તે  ષટપ્રજ્ઞસ્વામી તરીકે ઓળખાયા. અને તેમના બહેન ચંપાબા ચાંપબાઈ તરીકે ઓળખાયા.શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી ના બહેન શ્રી ચાંપબાઇ બહેન મહાન રામભક્ત હતા. સહુ સંતો ની શુભેચ્છા થી તેમણે ચુલી ગામે આશ્રમ સ્થાપ્યો. તેમની શિષ્ય પરંપરા ના સંતો ત્યારથી ચાંપબાઇ બહેન ની શાખા થી ઓળખય છે. તેઓ પદ્મનાભ દ્વારાના છે અને (રામ કબીર) રામવત વૈશ્ણ્વ છે. બીજી એક માહિતી પ્રમાણે શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી ફરતા ફરતા ચુલી ગામે આવ્યાં ત્યા ચંપાબાઈ નામે એક ક્ષત્રીયાણી રહેતા હતા. તેઓ સ્વામીજી ના દર્શને આવ્યા અને સ્વામીજી ને વીનંતી કરી કે મને રામ મંત્ર ની દીક્ષા આપો.આમ ચંપાબાઈ એ ચુલી મા આશ્રમ સ્થાપ્યો અને તેમના શીષ્યો ચાંપબાઈ સાધુ તરીકે ઓળખાયા. ચુલી ગામ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલું છે.   

વાઘાણી,મહંતશ્રી અભિનત ગોંડલીયા,દડવા,તા:ગોંડલ.જિલ્લો:રાજકોટ

વાઘાણી શ્રી કુબાજી સંતની પરંપરા મા શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હીરાદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા. શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી ચેતનદાસજી મહારાજ ના ત્રીજા સંત શ્રી વાઘારામજી મહારાજે દડવા ગામે ગાદી સ્થાપી અને તેમની પરંપરા ના સંતો ત્યારથી વાઘાણી શાખાથી ઓળખાય છે. દેશાણી, આશાણી, વાઘાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે. 

પરબ શાખા પરબ વાવડી

પરબ ની જગ્યા એટલે આપણે સંત દેવીદાસ ની જગ્યા તરીકે ઓળખીયે છીયે. આ એક અતિ પ્રાચીન જગ્યા છે. ઋષિ શરભંગ પોતાની છેલ્લી અવસ્થા માં પોતાના રક્તપિત ના  દર્દમાં શાંતિ મેળવવા અંહિ આવી ને રહેલા. તેથી આ જગ્યા ઋષિશરભંગ ના ધુણા તરીકે પણ ઓળખાય છે.     જેમ ગોંડલ અને દુધરેજ ની જગ્યા માં દાતણ ની ચીર માંથી પ્રગટેલ વટવ્રુક્ષો સંતો ની પ્રસાદી રૂપે  ઉભા છે તેમ અંહિ પરબ ધામ માં મક્કા મદીના થી લાવેલ આંબલી ના દાતણ ની પ્રસદી આજે પણ ઘેઘુર આંબલી નું વ્રુક્ષ રૂપે ઉભું છે.   “સત્ત દેવીદાસ” શબ્દ થી દીન, ભુખ્યા, તરસ્યા, રક્તપીતીયા, કોઢીયા, તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો મટે અંહિ પરબ બંધાયેલુ છે. આ પરબ ના બંધનાર હતા સંત દેવીદાસ. સંત દેવીદાસજી એ શ્રી રામભારથી પાસેથી ઉપદેશ લિધો હતો. શ્રી લોહંગસ્વામીજી એ તેમને આદેશ  આપેલો કે વાવડી ગામ ની સીમ માં દત્તાત્રેય નો ધુણો છે અને સંત જસા વળદાન ની સમાધી છે ત્યાં  જઈ જગ્યા બાંધ અને જગત જેને પપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર.આમ શ્રી દેવીદાસજી એ ધર્મ ની ઈમારત ઊભી કરી. આમા શ્રી અમરબાઈમાં  તથા સાદુળભગત નો સાથ મળ્યો. માં ગંગાબાઈ જેવા સંત પણ અંહિ મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તો એ અંહિ દિક્ષા સ્વિકારી છે. આ પરંપરા અને પરીવાર ના સંતો પરબીયા શાખા થી ઓળખાય છે.  

શ્રી રામજી મંદિર રામેશ્વર(બીલખા)પોસ્ટ.બીલખા.જિલ્લો:જૂનાગઢ

શ્રી રામજી મંદિર રામેશ્વર(બીલખા)પોસ્ટ.બીલખા.જિલ્લો:જૂનાગઢ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી - ચંદ્રકાંતજી મકનદાસજી દૂધરેજીયા મુ: રામેશ્વર.પોસ્ટ.બીલખા.જિલ્લો:જૂનાગઢ 9601537794 મુઃરામેશ્વર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રાધાકૃષ્ણ મંદિર ખીજડિયા,તા:ધ્રોલ.જિલ્લો:જામનગર

શ્રી રાધાકૃષ્ણ મંદિર ખીજડિયા,તા:ધ્રોલ.જિલ્લો:જામનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી બટુકદાસજી દાણીધારિયા મુ:ખીજડિયાતા:ધ્રોલ.જિલ્લો:જામનગર મુઃખીજડિયામુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર મિંગલપુર,તાધોલેરા.જિલ્લો:અમદાવાદ

શ્રી રામજી મંદિર મિંગલપુર,તાધોલેરા.જિલ્લો:અમદાવાદ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી પ્રવીણદાસબાપુ હરજીવનદાસજી ગોંડલીયા મુ.મિંગલપુર.તાધોલેરા. જિલ્લો:અમદાવાદ 81559-21317 મુઃમિંગલપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામદેવજી મહારાજ મંદિર દેવળીયા,તાઃજિલ્લોઃ અમરેલી

શ્રી રામદેવજી મહારાજ મંદિર દેવળીયા,તાઃજિલ્લોઃ અમરેલી વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી વિજયદાસબાપુ હરિયાણી મુઃ દેવળીયા.(ચક્કરગઢ)તાઃજિલ્લોઃ અમરેલી 8160833237 મુઃદેવળીયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર.જીરા.તા:ધારી જિલ્લો:અમરેલી

શ્રી રામજીમંદિર.જીરા.તા:ધારી જિલ્લો:અમરેલી બનાવેલ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી ઉમેદદાસજી પ્રાગદાસજી દુધરેજીયા. મુ:જીરા તા:ધારી જિલ્લો:અમરેલી 97237 59051 મુઃજીરા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામદેવજી મંદિર ગરાજીયા,પાલીતાણા. જિલ્લો:ભાવનગર

શ્રી રામદેવજી મંદિર ગરાજીયા,પાલીતાણા. જિલ્લો:ભાવનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી નીતિનબાપુ હકારામજીબાપુ ગોંડલિયા મુ.ગરાજીયા.તાઃ પાલીતાણા. જિલ્લો:ભાવનગર 9824221030 મુઃગરાજીયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી શરમાંળીયાદાદા રામદેવજી મહારાજ મંદિર,તા:વઢવાણ.જિલ્લોઃસુરેન્દ્રનગર

શ્રી શરમાંળીયાદાદા રામદેવજી મહારાજ મંદિર,તા:વઢવાણ.જિલ્લોઃસુરેન્દ્રનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી દુલૅભરામજી માધવદાસજી દેશાણી મુ:દુધરેજ.તા:વઢવાણ.જિલ્લોઃસુરેન્દ્રનગર મુઃદુધરેજ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર હડમતીયા,તાઃવિસાવદર. જિલ્લો:જૂનાગઢ

શ્રી રામજી મંદિર હડમતીયા,તાઃવિસાવદર. જિલ્લો:જૂનાગઢ વૈષ્ણત સાધુ મંદિર મહંત શ્રી પુરણદાસજી ગોરધનદાસજી દાણીધારીયા મુ:હડમતીયા.તાઃવિસાવદર. જિલ્લો:જૂનાગઢ 9601537794 મુઃહડમતીયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રાધેક્રિષ્ના મંદિર,તા: ગોંડલ,જિલ્લો: રાજકોટ

શ્રી રાધેક્રિષ્ના મંદિર,તા: ગોંડલ,જિલ્લો: રાજકોટ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી ગોંડલિયા મુકેશદાસ બાળકદાસ મુ: પાટીયાળી તા: ગોંડલ જિલ્લો: રાજકોટ 9909625512 મુઃપાટીયાળી મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર સણોસરા,તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

શ્રી રામજી મંદિર સણોસરા,તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી શાંતિદાસજી મોહનદાસજી દેશાણી ગામ સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ,9725663947 મુઃસણોસરા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રાધાકૃષ્ણ મંદિર,પાલીતાણા.જિલ્લો:ભાવનગર

શ્રી રાધાકૃષ્ણ મંદિર,પાલીતાણા.જિલ્લો:ભાવનગર  વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી સાધુશ્રીરામકૃષ્ણદાસજી દુલૅભદાસજી દુધરેજીયા મુ.પાલીતાણા.જિલ્લો:ભાવનગર ૯૯૭૯૩૫૧૩૯૦ મુઃપાલીતાણા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી ઋષિકેશ મહાદેવ મંદિર ઉમરડા,તા:મૂળી.જિલ્લો: સુરેન્દ્રનગર

શ્રી ઋષિકેશ મહાદેવ મંદિર ઉમરડા,તા:મૂળી.જિલ્લો: સુરેન્દ્રનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી અંધારામજી દયારામજી કાપડી મુ.ઉમરડા.તા:મૂળી.જિલ્લો: સુરેન્દ્રનગર મુઃઉમરડા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર નાળ,તાઃ સાવરકુંડલા.જિલ્લો: અમરેલી

શ્રી રામજી મંદિર નાળ,તાઃ સાવરકુંડલા.જિલ્લો: અમરેલી વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી કમળદાસજી પ્રભુદાસજી ગોંડલિયા મુઃનાળ.તાઃ સાવરકુંડલા.જિલ્લો: અમરેલી મુઃનાળ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર પાનસડા,તા.જસદણ જિલ્લો રાજકોટ

શ્રી રામજી મંદિર પાનસડા,તા.જસદણ જિલ્લો રાજકોટ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી બળવંતદાસજી ગંગારામજી દેશાણી મુ.પાનસડા.તા.જસદણ જિલ્લો રાજકોટ 9979474223 મુઃપાનસડા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ખંભાળીયા(ઓઝત),તા:વિસાવદર.જિલ્લો:જૂનાગઢ

શ્રી રામજી મંદિર ખંભાળીયા(ઓઝત),તા:વિસાવદર.જિલ્લો:જૂનાગઢ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી વિષ્ણુદાસજી બાલકદાસજી ગોંડલિયા મુ: ખંભાળીયા(ઓઝત).તા:વિસાવદર.જિલ્લો:જૂનાગઢ મુઃખંભાળીયા(ઓઝત)મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર બાંકોડી,તાઃજામકલ્યાણપુર જિલ્લો: દેવભૂમિદ્વારકા

શ્રી રામજી મંદિર બાંકોડી,તાઃજામકલ્યાણપુર જિલ્લો: દેવભૂમિદ્વારકા વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી પુરુષોત્તમદાસ સીતારામદાસજી રામકબીર મુઃબાંકોડી.તાઃજામકલ્યાણપુર જિલ્લો: દેવભૂમિદ્વારકા મુઃબાંકોડી મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી દાન મહારાજ ની જગ્યા ચલાલા,જિલ્લો:અમરેલી

શ્રી દાન મહારાજ ની જગ્યા ચલાલા,જિલ્લો:અમરેલી વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી કાળીદાસજી ભગવાનદાસજી ગોંડલિયા મુ:ચલાલા.જિલ્લો:અમરેલી 9327312689 મુઃચલાલા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર સમઢીયાળા,તાઃતળાજા જિલ્લો: ભાવનગર

શ્રી રામજી મંદિર સમઢીયાળા,તાઃતળાજા જિલ્લો: ભાવનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી મહિપતબાપુ હરિયાણી સમઢીયાળા.તાઃતળાજા જિલ્લો: ભાવનગર 9924300628 મુઃસમઢીયાળા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર પિંગળી.તાઃતળાજા.જિલ્લો:ભાવનગર

શ્રી રામજી મંદિર પિંગળી.તાઃતળાજા.જિલ્લો:ભાવનગર   વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી ગોંડલીયા રઘુરામબાપુ મુ.પિંગળી.તાઃતળાજા.જિલ્લો:ભાવનગર મુઃપિંગળી મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર, બહુચરાજી મંદિર,તા.જિલ્લો.ભાવનગર

શ્રી રામજી મંદિર, બહુચરાજી મંદિર,તા.જિલ્લો.ભાવનગર વનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી હરેશભાઈ બચુભાઈ દેસાણી મુઃ ભડીભંડારીયા.તા.જિલ્લો.ભાવનગર 9427558884 મુઃભડીભંડારીયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર કમિયાળા,તા-ધોલેરા જિલ્લોઃઅમદાવાદ

શ્રી રામજી મંદિર કમિયાળા,તા-ધોલેરા જિલ્લોઃઅમદાવાદ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી દેશાણી ફરસુરામજી વચનદાસજી મુઃકમિયાળા તા-ધોલેરા જિલ્લોઃઅમદાવાદ મુઃકમિયાળા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ભૃગુપુર,તા;ચુડા.જિલ્લોઃ સુરેન્દ્રનગર

શ્રી રામજી મંદિર ભૃગુપુર,તા;ચુડા.જિલ્લોઃ સુરેન્દ્રનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી કાનદાસ સરજુદાસજી મેસવાણીયા મુ.ભૃગુપુર.તા;ચુડા.જિલ્લોઃ સુરેન્દ્રનગર 9737119821  મુઃભૃગુપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર ખારી,તાઃશિહોર,જિલ્લો:ભાવનગર

શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર ખારી,તાઃશિહોર,જિલ્લો:ભાવનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી 9924717557 દેવીદાસજી મધુરામજી હરીયાણી મુ.ખારી. તાઃશિહોર,જિલ્લો:ભાવનગર  મુઃખારી મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

શ્રી રાધા કૃષ્ણ મંદિર સેતાલુસ,તાઃલાલપુર.જિલ્લો:જામનગર

શ્રી રાધા કૃષ્ણ મંદિર સેતાલુસ,તાઃલાલપુર.જિલ્લો:જામનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી રસિકદાસજી લાલદાસજી ગોંડલિયા મુ-સેતાલુશ. તાઃલાલપુર.જિલ્લો:જામનગર 8780204435  મુઃસેતાલુશ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

રાધા કૃષ્ણ મંદિર.ગીર ગઢડા,જી:ગીરસોમનાથ

રાધા કૃષ્ણ મંદિર.ગીર ગઢડા,જી:ગીરસોમનાથ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જીતુભાઈ.વી.દૂધરેજીયા મુ:ગીરગઢડા જી:ગીરસોમનાથ 98255 38075  મુઃગીરગઢડા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

શ્રી રામદેવજી મહારાજ મંદિર, મોટાકેરાળા,તાઃસાયલા જિલ્લોઃસુરેન્દ્રનગર

શ્રી રામદેવજી મહારાજ મંદિર, મોટાકેરાળા,તાઃસાયલા જિલ્લોઃસુરેન્દ્રનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી તુલસીદાસજી આત્મારામજી દેશાણી મોટા કેરાળા.તાઃસાયલા જિલ્લોઃસુરેન્દ્રનગર 90164 57933  મુઃમોટા કેરાળા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

સદગુરૂ શ્રીહરિરામ બાપા આશ્રમ પાલીતાણા,જિલ્લો: ભાવનગર

સદગુરૂ શ્રીહરિરામ બાપા આશ્રમ પાલીતાણા,જિલ્લો: ભાવનગર  વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જયસુખદાસજી રામલાલબાપુ ગોંડલિયા સદગુરૂ હરિરામ બાપા આશ્રમ. પાલીતાણા તળેટી જિલ્લો: ભાવનગર ૬૩૫૫૭૮૭૭૦૩  મુઃપાલીતાણા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે     

શ્રી રામજી મંદિર રબારીકા,તા:વિસાવદર જિલ્લોઃજૂનાગઢ

શ્રી રામજી મંદિર રબારીકા,તા:વિસાવદર જિલ્લોઃજૂનાગઢ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી શાંતિરામજી પૂરણદાસજી દાણીધારિયા મુઃ રબારિકા.તા:વિસાવદર જિલ્લોઃજૂનાગઢ 8980742866  મુઃરબારિકા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી રામજી મંદિર માનખેત્રા,તાઃમાંગરોળ.જિલ્લોઃજૂનાગઢ

શ્રી રામજી મંદિર માનખેત્રા,તાઃમાંગરોળ.જિલ્લોઃજૂનાગઢ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જયસુખરામજી મોતીરામજી ગોંડલિયા મુ:માનખેત્રા.તાઃમાંગરોળ.જિલ્લોઃજૂનાગઢ 6354024747  મુઃમાનખેત્રા  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી રામજી મંદિર સુખપુર,તાઃવિસાવદર જિલ્લોઃજૂનાગઢ

શ્રી રામજી મંદિર સુખપુર,તાઃવિસાવદર જિલ્લોઃજૂનાગઢ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી કમલેશદાસજી લક્ષ્મીદાસ કાપડી મુ.સુખપુર.તાઃવિસાવદર જિલ્લોઃજૂનાગઢ 9712187853  મુઃ સુખપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ખેરાળી,તાઃવેરાવળ જિલ્લો:ગીરસોમનાથ

શ્રી રામજી મંદિર ખેરાળી,તાઃવેરાવળ જિલ્લો:ગીરસોમનાથ વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી પ્રદીપભાઈ બાવનદાસજી ગોંડલિયા મુ.ખેરાળી.તાઃવેરાવળ જિલ્લો:ગીરસોમનાથ 8849628099  મુઃ ખેરાળી મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ઊંચાકોટડા,તા.મહુવા, જી,ભાવનગર

શ્રી રામજી મંદિર ઊંચાકોટડા,તા.મહુવા, જી,ભાવનગર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જીણારામ મોહનદાસ ગોંડલીયા ઊંચાકોટડા, તા.મહુવા, જી,ભાવનગર  મુઃ ઊંચાકોટડા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામદેવજી મંદિર ચૌટા.તાઃકુતિયાણા જિલ્લોઃપોરબંદર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી મુનીમદાસબાપુ મેસવાણીયા મુ.ચૌટા.તાઃકુતિયાણા જિલ્લોઃપોરબંદર 8530523873  મુઃ ચૌટા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

મુ: વીરપર.તા:જસદણ જિલ્લોઃરાજકોટ

શ્રી રામજી મંદિર.વિરપર વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જીવરામદાસ ગોરધનદાસ દેશાણી મુ: વીરપર.તા:જસદણ જિલ્લોઃરાજકોટ 9737231701 મુઃ વીરપર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ઉખરલા,તાઃઘોઘા જિલ્લો:ભાવનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જુગલદાસજી રામદાસજી બરોલીયા મુઃ ઉખરલા.તાઃઘોઘા જિલ્લો:ભાવનગર 99133 85538 મુઃ ઉખરલા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર મહિદડ,તાઃચોટીલા.જિલ્લોઃસુરેન્દ્રનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રીભરતબાપુ હરીયાણી મુ.મહીદડ.તાઃચોટીલા.જિલ્લોઃસુરેન્દ્રનગર 8320922869 મુઃ મહિદડ   મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી રામજી મંદિર બુરાનપુર,તાઃધોલેરા.જી:અમદાવાદ

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી સાધુ રામકૃષ્ણદાસજી સીતારામદાસજી મુઃબુરાનપુર.તાઃધોલેરા.જી:અમદાવાદ 9925414164 મુઃ બુરાનપુર  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી રામજી મંદિર અરણીયાળા,તા:મેંદરડા.જિલ્લોઃજૂનાગઢ

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી ધર્મેશભાઈ ભગવાનદાસજી ગોંડલિયા મુઃ અરણીયાળા. તા:મેંદરડા.જિલ્લોઃજૂનાગઢ 99984 94306 મુઃ અરણીયાળા  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી રામદેવજી મહારાજ મંદિર માનપુર,તાઃગારિયાધાર.જિલ્લોઃભાવનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી કાનદાસબાપુ ભગવાનદાસબાપુ ગોંડલિયા મુઃમાનપુર.તાઃગારિયાધાર.જિલ્લોઃભાવનગર 9016923262 મુઃમાનપુર  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે   

શ્રી હનુમાનજીમહારાજમંદિર પ્રાચી,તાઃ સુત્રાપાડા,જિલ્લો: ગીરસોમનાથઃ

વૈષ્ણવ સાધુ મંદિર મહંત જમનાદાસજી મંછારામજી હરીયાણી મુઃપ્રાચી તાઃ સુત્રાપાડા જિલ્લો: ગીરસોમનાથઃ 9537321092 મુઃપ્રાચી  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર પાળીયાદ,તાઃજિલ્લો:બોટાદ.

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી શીવરામબાપુ ગોંડલીયા મુઃપાળીયાદ.તાઃજિલ્લો:બોટાદ. 9913415746 મુઃબોડી  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર બોડી,તા:જિલ્લો:બોટાદ

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી મુકેશરામજી મસ્તરામજી દૂધરેજીયા 99043 69620 મુ: બોડી.તા:જિલ્લો:બોટાદ મુઃબોડી  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી શિવમંદિર કંથારિયા,તાઃવલ્લભીપુર.જિલ્લોઃભાવનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી સાધુ શ્રી અમરદાસ દુધરેજીયા મુઃકંથારિયા.તાઃવલ્લભીપુર.જિલ્લોઃભાવનગર 8141929470 મુઃકંથારિયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર કંથારિયા,તાઃવલ્લભીપુર જિલ્લો:ભાવનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી ભાર્ગવબાપુ દૂધરેજીયા મુઃ કંથારિયા.તાઃવલ્લભીપુર જિલ્લો:ભાવનગર 8980489837 મુઃકંથારિયા મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર ખીસરી,તા:ધારી.જિલ્લો અમરેલી

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી હરસુખભાઈ હરિયાણી મુ: ખિસરી.તા:ધારી.જિલ્લો અમરેલી 97276 94800 મુઃખિસરી  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રાધાકૃષ્ણ મંદિર સોળાજ,તાઃસુત્રાપાડા. જિલ્લોઃગીર સોમનાથ

શ્રી રાધાકૃષ્ણ મંદિર સોળાજ,તાઃસુત્રાપાડા. જિલ્લોઃગીર સોમનાથ ષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી સેવાદાસજી મોહનદાસજી દૂધરેજીયા મુઃસોળાજ.તાઃસુત્રાપાડા. જિલ્લોઃગીર સોમનાથ 9904447228,9924247229 મુઃ સોળાજ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર લંગાળા, તાઃઉમરાળાજિલ્લો:ભાવનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી જયેસભાઈ મંછારામજી ગોંડલીયા મુઃલંગાળા તાઃઉમરાળા 7046515662 જિલ્લોઃભાવનગર મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજી મંદિર ચપર,તા:જામકલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી હીરાદાસજી શામદાસજી ગોંડલિયા મુ:ચપર.તા:જામકલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા 7435819063 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર ધુતારપુર,તા.જી:જામનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી નિરંજનદાસ બચુંદાસ દાણીધારિયા મુ.ધૂતારપુર.તા.જી:જામનગર 9428726194 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર શાપર,વાયા ભલગામ તા:બગસરા.જિલ્લો:અમરેલી

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી રમેશભાઈ આત્મારામજી દેશાણી મુ:શાપર- વાયા ભલગામ તા:બગસરા.જિલ્લો:અમરેલી 9824175313 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રાધાકૃષ્ણ મંદિર નાનીઅમરેલી,તા:પડઘરી,

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી સાધુશ્રી ભરતદાસજી જાનકીદાસ હરીયાણી મુ:નાનીઅમરેલી,તા:પડઘરી, જિલ્લો:જામનગર 9426523505 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી મેલડીધામ ખસ,તા:રાણપુર.જિલ્લો:બોટાદ

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી દેશાણી સંજયભાઈ મુ:ખસ,તા:રાણપુર.જિલ્લો:બોટાદ 9898966100   મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

વજુરડાધામઃગરણી,તા:બાબરા જીલ્લો અમરેલી

રાઘેશ્યાબાપુ ની સમાધીસ્થાન  મહંતશ્રી પ્રવીણબાપુ દેશાણી  ગરણી થી જીવાપર રોડ પર આવેલ વરજુડા ધામ તા:બાબરા જીલ્લો અમરેલી મુ:ગરણીધામ   મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી ચૈતન્ય હનુમાનજી પેઢાવાડા,તા: કોડીનાર, જિલ્લો:ગીરસોમનાથ

વૈષ્ણવ સાધુ મંદિર મહંતશ્રી શૈલેશબાપુ દુધરેજીયા  મુ:પેઢાવાડા, તા: કોડીનાર, જિલ્લો:ગીરસોમનાથ 9033215885 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર વિભાણીયા,તા:કાલાવડ, જિલ્લો:જામનગર

વૈષ્ણવ સાધુ મંદિર મહંત શ્રી મેશભાઈ લાલદાસભાઈ સરપદડીયા મુ:વિભાણીયા,તા:કાલાવડ, જિલ્લો:જામનગર 9727648673 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર રેસમડીગાળોલ,તા-જેતપુર. જિલ્લો:રાજકોટ

મંદિર મહંત શ્રી રતીદાસજી ભાણદાસજી દૂધરેજીયા મુ- રેસમડીગાલોળ. 9913688521 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર નવાણિયા,તા:બાબરા જિલ્લો:અમરેલી

મંદિર મહંત શ્રી ઘનશ્યામબાપુ ગોંડલિયા મુ: નવાણિયા.તા:બાબરા જિલ્લો:અમરેલી 99792 40391 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર શાપુર તા.જિલ્લો: જુનાગઢ

મંદિર મહંત શ્રી જસ્મીનભાઈ ધિરૂભાઈ કાપડી મુ: શાપુર તા.જિલ્લો: જુનાગઢ 9898077475 મુઃ શાપુર મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રીટેકરીયા રામજીમંદિર મુ:ગઢડાસ્વામીના જી:બોટાદ

મંદિર મહંત શ્રી જેજેરામબાપુ કાપડી મુ:ગઢડાસ્વામીના જી:બોટાદ મુઃગઢડાસ્વામીના મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર સામરડા(ધેડ)તા:માંગરોળ

મંદિર મહંત શ્રી હરીયાણી હરીરામજી અંબારામજી સામરડા(ધેડ).તા:માંગરોળ જિલ્લો: જૂનાગઢ. 84699 81976 મુઃસામરડા(ધેડ)મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

મૂ.દેવગામ તા:લોધિકા જિ.રાજકોટ

મૂ.દેવગામ તા:લોધિકા જિ.રાજકોટ .9664580938 મુઃદેવગામ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર વાંકિયા(ભાડ)તાઃખાંભા…જિલ્લો અમરેલી

શ્રી રામજીમંદિર વાંકિયા(ભાડ)તાઃખાંભા…જિલ્લો અમરેલી મંદિર મહંત શ્રી કાનદાસજી રામદાસજી ગોંડલીયા મુ વાંકીયા.તાઃખાંભા…જિલ્લો અમરેલી 9429682494  મુઃવાંકિયા(ભાડ)મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર માંગવાપર તા:જિલ્લો:અમરેલી

મંદિરમહંત શ્રી હરેશકુમાર લખીરામજી સરપદડિયા ૧ મું:માંગવાપર.તા:જિલ્લો:અમરેલી 9638497242  મુઃમાંગવાપર  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર મુંઃનાનુડી,તાઃખાંભા, જિલ્લો અમરેલી

મંદિર મહંત શ્રી રવિદાસજી લાલદાસજી દાણીધારિયા મુંઃનાનુડી,તાઃખાંભા, જિલ્લો અમરેલી ૯૯૧૩૯ ૨૦૮૨૨  મુઃનાનુડી  મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

શ્રી રામજીમંદિર ધોળા.તા:ઉમરાળા.જિલ્લો:ભાવનગર

મંદિર મહંત શ્રી કૃણાલબાપુ કનુંબાપુ કબીર લગભગ ૮૦ વર્ષ થી વોળા ગામ રામજીમંદિર સેવાપૂજા કરવાનું અમારા પરિવાર ને સૌભાગ્ય મળ્યું છે.ગામ પાસે થી કોઈ અપેક્ષા કે આજીવિકા વગર નિત્ય સવાર સાંજ સેવા કાર્ય કરીએ છીએ જય સીયારામ મુ: ધોળા.તા.ઉમરાળા જિલ્લો:ભાવનગર 9714124648

રામજીમંદિર વાસાવડ

મંદિરમહંત શ્રી સાધુશ્રી પરસુરામજી જદુરામજી ગોંડલિયા મુઃવાસાવડ તા:ગોંડલ.જિલ્લો:રાજકોટ 84 019 67412 મંદિરમહંત શ્રી સાધુશ્રી પરસુરામજી જદુરામજી ગોંડલિયા મુઃવાસાવડ મુકામે આજ ઘણા વર્ષો થી રામજી મંદિર ની સેવા પૂજા કરી રહ્યા છે નિઃશુલ્ક જેમને આવક ના   માધ્યમ થી નહિ પરંતુ એક સાચી પ્રભુ સાથે ની લાગણી પ્રસ્તુત કરી રહ્યા છે 

1000 Plants to grow in Gwalior

The Samaja is an Odia daily newspaper published in Cuttack, Odisha, India; started in 1919, it is one of the oldest papers in India.[2] Gopabandhu Das, a prominent freedom fighter and social worker started it as a weekly from Satyabadi in Puri district of Odisha to facilitate the freedom struggle and to revive the moribund Odia language. Under his leadership, and with the support of local people, the paper grew into prominence. In 1928, just before the death of Das, the paper was handed over to Lok Sevak Mandal (Servants of People Society), a non-profit organization started by freedom-fighter Lala Lajapatrai.[3] The society still runs the paper.[4]